વડે જ સ્વપ્નની જેમ કલ્પી લીધેલા-હાથ,પગ-આદિ અવયવોથી યુક્ત થઇ પોતાને તેવા હાથ,પગ વાળા દેખે છે.
એ પિશાચો, 'ભ્રમ ઉત્પન્ન કરનારી અને ભય ઉપજાવનારી' પોતાની છાયા (પ્રતિબિંબ) વડે બીજા મનુષ્યના
ચિત્તમાં પ્રવેશ કરે છે અને તેમનામાં તદ્રુપ જેવા બની જાય છે.તેઓ મનુષ્યને દુઃખ આપનાર,ભોગો,
કર્મ,ભ્રાંતિ-આદિને પેદા કરે છે.આમ થવાથી કોઈ વખતે તેઓ નિર્બળ મનુષ્યને મારી નાખે છે,કોઈ વખતે
નિર્બળના બળને અને સત્વને હરી લે છે તો કોઈ વખતે તેઓ તેમના ચિત્તને દબાવી જીવોની હિંસા પણ કરે છે.