મુનિ કહે છે કે- એ (બીજ) મુનિએ મને બોધ કર્યો એટલે મારા ચિત્તની શુદ્ધિ થઇ,અને મારા પોતાના શુદ્ધ સ્વ-રૂપને
ઓળખ્યું,એટલે એ સમયે તે (બીજા) મુનિ તે પણ હું જ હતો-એવું ચિત્તમાં મને સ્ફૂરી આવ્યું અને
મને અતિ-આશ્ચર્ય થયું ને હું જાણે હૃદયમાં આર્દ્ર થઇ ગયો.
મને સમજાઈ ગયું કે-એ મને ઉપદેશ આપનાર મુનિ પણ ભ્રાંતિ-માત્ર છે અને મારી જેમ જ બ્રહ્મ-રૂપ છે.
પહેલાં હું ભોગોમાં રાખેલી આસ્થા વડે છેતરાયો હતો પણ મારા જ આત્મબોધથી
હું મારા સ્વરૂપને ઓળખી ગયો.આ સર્વ જગત મિથ્યા છતાં જાણે સત્ય જેવું ભાસે છે-તે મોટું આશ્ચર્ય છે !!