કેશ-નખ-આદિ જડ-ભાગ વડે પ્રતીતિમાં આવે છે (નરી આંખે દેખાય છે) તેમ,આ જગત (દૃશ્ય) પણ
ચિદ-અંશ અને જડ અંશ-એ બંને વડે યુક્ત છે.તેમાં કલ્પના અને કલ્પનાનો અભાવ-એ બંને રહેલાં છે.
પણ સ્વ-ભાવ-સિદ્ધ-તાત્વિક-દૃષ્ટિ વડે જોતાં તે સર્વ બ્રહ્મ(ચૈતન્ય)-રૂપ જ છે.
એટલે કે વિના-કારણે પદાર્થોની સ્થિતિ અને કારણ-પૂર્વક પદાર્થોની સ્થિતિ-એ બંને બ્રહ્મની અંદર રહેલ છે.
કેમ કે બ્રહ્મ,પોતે સર્વ-શક્તિમાન છે.