વસિષ્ઠ કહે છે-જેમ પુરુષના નખ-પગ વગેરે એક શરીરના અવયવ-રૂપ છે,તેમ આ સ્થાવર-જંગમ,નિરવયવ હોવા છતાં
ચિદાકાશના એક અવયવ જેવા જ છે.સ્વપ્નની જેમ સૃષ્ટિના આરંભકાળમાં પોતાના સંકલ્પની અંદર જગતનું જેવું રૂપ
સ્ફૂર્યું,તેવું રૂપ આજ પર્યંત સુધી રહેલ છે.તેની સ્થિતિ અધિષ્ઠાન ચૈતન્યની સત્તા વડે છે,તેથી તે જડ-રૂપે પ્રતીતિમાં
આવવા છતાં તેનો અભાવ અને તેની ચિદ-રૂપ સ્થિતિ છે.એમ કહેવામાં આવે છે.
આમ એ ચેતન તત્વ એ નિરવયવ અને શાંત છે,તેના યથાસ્થિત સ્વરૂપમાં જ રહેલ છે.