Aug 11, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1225

વસિષ્ઠ કહે છે-જેમ પુરુષના નખ-પગ વગેરે એક શરીરના અવયવ-રૂપ છે,તેમ આ સ્થાવર-જંગમ,નિરવયવ હોવા છતાં
ચિદાકાશના એક અવયવ જેવા જ છે.સ્વપ્નની જેમ સૃષ્ટિના આરંભકાળમાં પોતાના સંકલ્પની અંદર જગતનું જેવું રૂપ
સ્ફૂર્યું,તેવું રૂપ આજ પર્યંત સુધી રહેલ છે.તેની સ્થિતિ અધિષ્ઠાન ચૈતન્યની સત્તા વડે છે,તેથી તે જડ-રૂપે પ્રતીતિમાં
આવવા છતાં તેનો અભાવ અને તેની ચિદ-રૂપ સ્થિતિ છે.એમ કહેવામાં આવે છે.
આમ એ ચેતન તત્વ એ નિરવયવ અને શાંત છે,તેના યથાસ્થિત સ્વરૂપમાં જ રહેલ છે.

Aug 10, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1224

વસિષ્ઠ કહે છે-બ્રહ્માંડ પણ એક પરમાણુ-રૂપ છે,કેમ કે તે ચિદાકાશની અંદર રહેલું છે.
તે જ રીતે એક પરમાણુ પણ બ્રહ્માંડ-રૂપ છે,કેમ કે તેની અંદર ચિત્ત-સત્તાને લીધે આ આખું જગત રહેલું છે.
આમ આ સર્વ આદિ-મધ્ય-અંતથી રહિત અખંડ અને શાંત ચિદાકાશ-રૂપ જ છે.
માટે જ જાતિ-આદિ બંધને તોડી નાખી,નિર્વિકાર બની નિર્વાણદશામાં યથાસ્થિતપણે રહો.

Aug 9, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1223

કદંબ તપસ્વી (કુંદદંતને) કહે છે કે-હું સમાધિ વિના રહી શકતો નથી,માટે હું ફરી સમાધિમાં પ્રવેશ કરું તે પહેલાં
હું હમણાં તમને બોધ કરીશ જો કે- તે બોધ અભ્યાસ વિના તમારા ચિત્તમાં ચોંટશે નહિ.માટે એ સંબંધમાં
હું તમને એક બીજી યુક્તિ કહું છું,તે તમે સાંભળો અને તે પ્રમાણે તમે કરો.
અયોધ્યા નામની નગરીના દશરથ રાજાના એક રામ નામના પુત્ર છે તેની પાસે તમે જાઓ.તેમના કુળગુરૂ
મુનિશ્રેષ્ઠ વસિષ્ઠ રામને સભામાં જ્ઞાનનો ઉપદેશ આપતા હશે,તેમની દિવ્ય કથા સાંભળીને તમે પરમપદમાં
વિશ્રાંત થઇ જશો. આ પ્રમાણે કહીને તે કદંબ-તપસ્વી સમાધિમાં નિમગ્ન થયા.