વાલ્મીકિ કહે છે કે-દશરથરાજા ઉપર પ્રમાણે વશિષ્ઠને કહેતા હતા,ત્યારે રામચંદ્રજીએ વસિષ્ઠના ચરણમાં
પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમને કહેવા લાગ્યા કે-હે મહાસમર્થ વસિષ્ઠઋષિ,જેને આપનાં વાક્યને અનુસરી,
પ્રમાણ-માટે જ સાર-રૂપે અવશ્ય કર્તવ્ય છે તે હું રામ આપના ચરણમાં પ્રણામ કરું છું.
તે સમયે નીતિકુશળ રામચંદ્રજીનાં નેત્રો આનંદના આંસુઓથી ભરપુર થઇ ગયાં,ને પરમ ભક્તિ વડે ગુરુને
વારંવાર પ્રણામ કરવા લાગ્યા.ભરત,શત્રુઘ્ન,લક્ષ્મણ પણ તેમની પાસે બેઠા હતા,તે અ ને સર્વ મિત્રો તથા
સભામાં ઉપસ્થિત રહેલ સર્વ સભાજનો પણ વસિષ્ઠને પુષ્પાંજલિ અર્પણ કરવા લાગ્યા.