(દેહધ્યાસને છોડીને) સમાનપણાથી આત્મામાં સ્થિર થઇ રહ્યો છું.જેમ,પ્રબોધને પ્રાપ્ત થયેલા કે અપ્રબુદ્ધ
એવા સર્વ રાજાઓ,અનેક પ્રકારનાં કર્મવાળાં રાજ્યની અંદર પોતાને સુખ થાય તેમ વિહાર કરે છે તેમ,હું પણ
હર્ષ,શોક,અને આશાથી રહિત બની,સર્વત્ર સ્થિર એવી સમાનદ્રષ્ટિનું અવલંબન કરી(અનાસક્તિથી)
નિઃશંક રીતે આત્મામાં સ્થિતિ રાખી રાજ્યતંત્રમાં વિહાર કરું છું.