Jan 16, 2020

ભાગવત રહસ્ય-૧૬૦

યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે-કે-“હે,મૈત્રેયી,ઘર,પુત્ર,સ્ત્રી –આદિ જે પ્રિય લાગે છે-તે સુખને માટે પ્રિય લાગે છે.બાકી –પ્રિયમાં પ્રિય તો આત્મા જ છે (આત્મા વૈ પ્રેયસામ પ્રિયઃ)
પતિના પર પત્નીનો અધિક પ્રેમ હોય છે,તે પતિની કામના પૂર્ણ કરવા માટે નહિ પણ પોતાની કામના પૂરી કરવા માટે હોય છે,પતિને પત્ની અધિક પ્રિય લાગે છે, પણ તે પત્નીની કામના પૂર્ણ કરવા માટે નહિ,પણ પોતાની કામના પૂર્ણ કરવા માટે હોય છે.

Jan 15, 2020

ભાગવત રહસ્ય-૧૫૯

પ્રહલાદજીને જન્મથી જ ભક્તિનો એવો રંગ લાગેલો કે-તેમણે ભગવતસેવામાં અને ભગવત સ્મરણમાં જ આનંદ આવે છે.પુસ્તકો વાંચવાનું કે-ભણવાની ઈચ્છા થતી નથી. પણ વિચારે છે કે જો ન ભણે તો બ્રાહ્મણનું અપમાન થાય એટલે ભણવાનું 
નાટક કરે છે.પ્રહલાદે આંખમાં શ્રીકૃષ્ણને રાખ્યા છે. ગુરુ જે ભણાવે તે સાંભળે છે પણ રાજ નીતિનું ચિંતન કરતા નથી.

Jan 14, 2020

ભાગવત રહસ્ય-૧૫૮

દિતિ એ ભેદબુદ્ધિ છે. ભેદબુદ્ધિના બે પુત્રો છે-અહંતા (હું) અને મમતા (મારું) 
સર્વ દુઃખનું મૂળ ભેદબુદ્ધિ છે. સર્વ સુખનું મૂળ અભેદભાવ છે.અભેદભાવ શરીરથી નહિ-પણ બુદ્ધિથી થાય તો –સર્વ- માં -સમબુદ્ધિ આવે છે. જ્યાં ભેદ છે ત્યાં ભય છે-અભેદ છે ત્યાં અભય છે.જ્ઞાની પુરુષો જગતને અભેદ ભાવથી જુએ છે. મારામાં જે ચૈતન્ય છે તે સર્વ માં છે.જયારે સામાન્ય માણસ જગતને ભેદભાવથી જુએ છે.આ સારું છે-આ ખરાબ છે.—આ યુવાન છે આ વૃદ્ધ છે.-આ સ્ત્રી છે,આ પુરુષ છે.