May 26, 2020

ભાગવત રહસ્ય -૨૮૬

નારદજી ના ગયા પછી કંસે વિચાર કર્યો-સંત કોઈ દિવસ બોલે નહિ પણ કદાચ મારું ભલું કરવા આવ્યા હતા.તે પછી કંસ વસુદેવ-દેવકીને કેદમાં નાખે છે,અને તેમનાં છ બાળકોને માર્યા છે.કંસ એ અભિમાન છે,તે (અભિમાન) સર્વને –જીવમાત્રને કેદમાં નાખે છે.સઘળા જીવો આ સંસારરૂપી કારાગૃહમાં પુરાયેલા છે.આપણે બધા કેદમાં છીએ.બધાને બંધન છે.વસુદેવ-દેવકી કારાગ્રહમાં જાગે છે.

May 25, 2020

ભાગવત રહસ્ય -૨૮૫

વસુદેવજી મહા વૈષ્ણવ છે,અને વૈષ્ણવ(ભક્ત) દુઃખી થાય તો પરમાત્મા પધારે છે.
વસુદેવજીને આમ માન આપવાને બદલે –કંસ-તેમને જો ત્રાસ આપે તો જ ભગવાન પ્રગટ થાય.પાપી દુઃખી થાય તો ભગવાન સાક્ષી રૂપે જુએ છે. પાપી માણસ દુઃખી થાય તો પરમાત્માને દયા આવતી નથી.તે વિચારે છે-“પાપ કર્યા છે-એટલે દુઃખી થાય છે.પાપ કરતો હતો ત્યારે તો હસતો હતો,હવે રડે છે” પણ પુણ્યશાળી ભક્ત દુઃખી થાય તે પરમાત્માથી સહન થતું નથી.

May 24, 2020

ભાગવત રહસ્ય -૨૮૪

કૃષ્ણકથામાં રાજાનો અલૌકિક પ્રેમ જોઈને શુકદેવજી પ્રસન્ન થયા છે.શુકદેવજી કહે છે-કે-કૃષ્ણકથામાં તારો પ્રેમ જોઈ મને બહુ આનંદ થાય છે,રાજા તારે લીધે મને પણ 
કૃષ્ણકથા-ગંગાનું પાન કરવાનો લાભ મળ્યો.આ કૃષ્ણકથા-ગંગા પ્રગટ થઇ પછી ભાગીરથી ગંગાજીનું મહત્વ ઓછું થયું છે.આ કૃષ્ણકથા-ગંગા અનેકને પાવન કરે છે.
ભાગીરથી ગંગામાં સ્નાન કરો તો તેનાથી મનનો મેલ ધોવાતો નથી.ખાલી શરીર શુદ્ધ થાય છે,જયારે આ કૃષ્ણકથા મનનો મેલ દૂર કરે છે.મનને શુદ્ધ કરે છે.માટે કૃષ્ણ કથા શ્રેષ્ઠ છે.વળી કૃષ્ણકથા-ગંગા જ્યાં ઈચ્છો ત્યાં પ્રગટ થાય છે,ભાગીરથી-ગંગા ને કહો –કે અમારા શહેરમાં પ્રગટ થાઓ-તો તે ત્યાં શું પ્રગટ થશે ?