Dec 6, 2020

ભાગવત રહસ્ય -૪૬૮

જયારે તન્મયતા થાય છે ત્યારે સમાધિ લાગે છે.
ભાગવતની કથા કરતાં કરતાં શુકદેવજી ને બે વખત સમાધિ લાગેલી છે.
પહેલી વખત જયારે શ્રીકૃષ્ણ બ્રહ્માને માયા બતાવે છે ત્યારે,(શ્રીકૃષ્ણ ગોપ-બાળકો,વાછરડાંનું  રૂપ લઇ ને ગયા ત્યારે) અને બીજી વખત –આ સુદામા ચરિત્રનું વર્ણન કરતી વખતે.

Dec 5, 2020

ભાગવત રહસ્ય -૪૬૭

જરાસંઘના પિતા બૃહદ્રથ મોટા ધર્માત્મા અને સત્યવાદી રાજા હતા.પણ તેમને કોઈ સંતાન નહોતું.એક વખત કૌશિક મુનિ તેમના નગરમાં આવ્યા,રાજાએ તેમની પૂજા કરી સન્માન કર્યું.મુનિએ રાજાને વરદાન માગવા કહ્યું, રાજાએ પુત્ર-પ્રાપ્તિની ઈચ્છા દર્શાવી.
ત્યારે મુનિએ ફળ આપ્યું અને કહ્યું કે આ તારી રાણીને ખવડાવજે તેથી તેને પુત્ર થશે.

Dec 4, 2020

ભાગવત રહસ્ય -૪૬૬

નારદજી તે પછી જુદા જુદા મહેલ માં ગયા.દરેક મહેલમાં શ્રીકૃષ્ણ હાજર છે.
કોઈ મહેલમાં તે બાળકો ને રમાડે છે,કોઈ મહેલમાં ભોજન કરે છે,કોઈ મહેલમાં જપ કરે છે.નારદજી જ્યાં જાય છે,ત્યાં ભગવાન છે.ભગવાને ગૃહસ્થાશ્રમનો આદર્શ બતાવ્યો છે.ફરતાં ફરતાં નારદજી થાકી ગયા છે,વિચારે છે કે હવે ક્યાંય જળપાનનો પ્રબંધ થાય તો સારું.તે બીજા એક મહેલમાં પ્રવેશ્યા,તો ત્યાં ભગવાન પૂછે છે કે –નારદજી ક્યારે આવ્યા? નારદજી તો ચાર કલાકથી અથડાતા હતા છતાં તેમણે કહ્યું કે –અત્યારેજ આવ્યો.