Jul 24, 2021

Gujarati-Ramayan-Rahasya-23-ગુજરાતી-રામાયણ-રહસ્ય-23

સેવાનું ફળ એ સેવા છે મેવા નહિ.માટે ભક્તે મુક્તિની પણ આશા કરવી જોઈએ નહિ.નરસિંહ મહેતા એ ગાયું છે કે-હરિના જન તો મુક્તિ ના માગે,માગે જન્મોજન્મ અવતાર રે....એનું નામ નિષ્કામ ભક્તિ. ભક્તને ગોલોક ધામ કે વૈકુંઠધામ જોઈતું નથી,એને તો પ્રભુની સેવા જોઈએ છે.ભોગ માટે કે સુખ માટે તેની ભક્તિ નથી.પણ ભગવાન માટે ભક્તની ભક્તિ છે.ભોગ માટે ભક્તિ કરે તેને ભગવાન વહાલા નથી પણ ભોગ વહાલા છે.તેને સંસાર વહાલો છે.

Jul 23, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-23-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-23


Gujarati-Ramayan-Rahasya-22-ગુજરાતી-રામાયણ-રહસ્ય-22

સપ્તર્ષિઓએ જે પ્રશ્ન રત્નાકરને પૂછેલો તે તેને એકલાને જ લાગુ પડતો નથી,પણ આજની દુનિયામાં રહેલા મનુષ્ય માત્રને લાગુ પડે છે,પૈસા કમાવાની લાલચમાં મનુષ્ય પાછું વળીને જોતો નથી,અને ગમે તે રીતે ઘણીવાર અનીતિથી પણ ધન કમાવા લાગી જાય છે.પણ રત્નાકરની આંખ ઉઘડી ગઈ તેમ મનુષ્યની આંખ ખુલે તો તેનો પણ બેડો પાર થઇ જાય.
કબીર કહે છે કે-કબીરા સબ જગ નિર્ધના,ધન્વંતા નહિ કોઈ,ધન્વંતા સો જાનીયે જા કે રામનામ ધન હોય.

Jul 22, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-22-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-22


Gujarati-Ramayan-Rahasya-21-ગુજરાતી-રામાયણ-રહસ્ય-21-Baal Kaand-બાલકાંડ




લતા ના સ્વરમાં સુંદર રીતે ગવાયેલી શ્રીરામની સ્તુતિ સાંભળતા સાંભળતા બાલકાંડ વાંચવા ઉપરનાં પ્લેયર પર ક્લિક કરો.
શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવભય દારૂણમ,નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ
કંદર્પ અગણિત અમિત છબી નવ નીલ નીરજ સુંદરમ,પટ પીત માનહુ તડીત રૂચિસુચિ નવમી જનકસુતાવરમ
ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ,રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ્ર દશરથ નંદનમ
શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ,આજાન્ ભૂજ શર ચાપ ધર સંગ્રામ જીત ખર દુષણમ
ઈતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિજન રંજનમ,મમ હૃદયકુંજ નિવાસ કુરુ કામાદી ખલ દલ ગંજનમ

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
બાલકાંડ.


જેમ ભાગવતની સમાધિ ભાષા છે,તેમ રામાયણની પણ સમાધિ ભાષા છે.વાલ્મીકિ સાધારણ કવિ નથી પણ મહર્ષિ અને આર્ષદ્રષ્ટા છે,અને તેમણે રામજીના પ્રાગટ્ય (જન્મ) પહેલાં રામાયણની રચના કરી છે.