Jul 30, 2021
Gujarati-Ramayan-Rahasya-29-ગુજરાતી-રામાયણ-રહસ્ય-29
શ્રીરામચરિત્રની કથા સંભળાવી, પુરી કરીને નારદજી તેમના પંથે ગયા,
તે પછી મહર્ષિ વાલ્મીકિ મધ્યાહ્ન કર્મ કરવા માટે,તમસા નદીને કિનારે ગયા,ત્યાં તેમની નજર એક ક્રૌંચ પક્ષીના જોડા પર પડી,અને એ જ વખતે પારધીના તીરથી નર પંખીની હત્યા થતી જોઈ,ક્રૌંચ તરફડીને નીચે પડ્યો, ક્રૌંચી કરુણ સ્વરે વિલાપ કરવા લાગી,એની આવી દયાજનક હાલત જોઈ,મહર્ષિના ચિત્તને અત્યંત દુઃખ થયું,અને તેમના મુખથી બોલાઈ ગયું,મા નિષાદ,પ્રતિષ્ઠા ત્વમગમઃશાશ્વતી સમાઃ યત્ક્રૌંચમિથુનાદેકમવધી: કામ મોહિતમ.
(હે,નિષાદ (પારધી) તેં કામશક્ત ક્રૌંચને મારીને તેમની જોડીને તોડી ને મહાપાપ કર્યું છે,માટે
તુ પણ લાંબો કાળ પૃથ્વી પર નહિ રહે,(તુ લાંબુ જીવશે નહિ)
Jul 29, 2021
Gujarati-Ramayan-Rahasya-28-ગુજરાતી-રામાયણ-રહસ્ય-28
ભગવાન કહે છે કે-હું સદાકાળ ભક્તને આધીન છું.ભક્તની રક્ષા કાજે,રામ તરીકે ધનુષ્યબાણ લઈને ખડો છું,શ્રીકૃષ્ણ તરીકે સુદર્શન ચક્ર લઈને ખડો છું,અને શંકર તરીકે ત્રિશુળ લઈને ઉભો છું,મારા ભક્તને ભય નથી,મારા ભક્તનો નાશ નથી.
સંસાર એ તો ખોટનો ધંધો છે.અનેક જન્મો ગયા પણ ભવની ચક્કીમાંથી છૂટાયું નથી.એકવાર ખોટનો ધંધો કર્યો,બેવાર કર્યો,દશવાર કર્યો-તો યે શાન આવતી નથી.જે ડાહ્યો મનુષ્ય હોય તે ખોટનો ધંધો ના કરે.પણ રામ નામનો વેપાર કરે,કે એ ધંધો એવો છે કે તેમાં નફો જ નફો છે.જેની પ્રાપ્તિથી બધું જ પ્રાપ્ત થઇ જાય તેવો નફો છે.પછી કશું મેળવવાનું બાકી રહેતું નથી.એ ધંધાનો આનંદ એ ધંધાનું માધુર્ય એવું છે કે-એ આનંદનો કોઈ જોટો નથી અને તે માધુર્યનો કોઈ અંત નથી.
સંસાર એ તો ખોટનો ધંધો છે.અનેક જન્મો ગયા પણ ભવની ચક્કીમાંથી છૂટાયું નથી.એકવાર ખોટનો ધંધો કર્યો,બેવાર કર્યો,દશવાર કર્યો-તો યે શાન આવતી નથી.જે ડાહ્યો મનુષ્ય હોય તે ખોટનો ધંધો ના કરે.પણ રામ નામનો વેપાર કરે,કે એ ધંધો એવો છે કે તેમાં નફો જ નફો છે.જેની પ્રાપ્તિથી બધું જ પ્રાપ્ત થઇ જાય તેવો નફો છે.પછી કશું મેળવવાનું બાકી રહેતું નથી.એ ધંધાનો આનંદ એ ધંધાનું માધુર્ય એવું છે કે-એ આનંદનો કોઈ જોટો નથી અને તે માધુર્યનો કોઈ અંત નથી.
Jul 28, 2021
Gujarati-Ramayan-Rahasya-27-ગુજરાતી-રામાયણ-રહસ્ય-27
જપ વિના જીવન સુધરતું નથી,જીભ સુધરતી નથી,મન સુધરતું નથી.જપ વિના વાસનાઓ ટળતી નથી,જપ વિના સંયમની સાધના થતી નથી,જપ વિના પાપ છૂટતું નથી,જપ વિના બળની પ્રાપ્તિ થતી નથી,સુખશાંતિની પ્રાપ્તિ થતી નથી,”આપ”(ખુદ)ની પ્રાપ્તિ થતી નથી.
આજે આપણે ‘આપ’ ને (ખુદને) ખોઈ બેઠા છીએ.ને વાસના અને કામનાના કેદી બની તે જેમ નચાવે તેમ નાચ્યા કરીએ છીએ.સતત જપ કરવાથી જ ‘આપ’ (ખુદ) ની પ્રાપ્તિ થાય છે અને મનુષ્ય,મનુષ્ય બને છે.નહિતર જે મનનો દાસ છે તે મનુષ્ય દાનવ જેવો છે.મનનો ધણી થાય ત્યારે મનુષ્ય મનુષ્ય બને છે.
આજે આપણે ‘આપ’ ને (ખુદને) ખોઈ બેઠા છીએ.ને વાસના અને કામનાના કેદી બની તે જેમ નચાવે તેમ નાચ્યા કરીએ છીએ.સતત જપ કરવાથી જ ‘આપ’ (ખુદ) ની પ્રાપ્તિ થાય છે અને મનુષ્ય,મનુષ્ય બને છે.નહિતર જે મનનો દાસ છે તે મનુષ્ય દાનવ જેવો છે.મનનો ધણી થાય ત્યારે મનુષ્ય મનુષ્ય બને છે.
Subscribe to:
Posts (Atom)