રાજા ની વ્યાકુળતા વધી છે,અને ધીરે ધીરે “હે,રામ-હે,રામ” બોલતા જાય છે.
સાથે સાથે તેમનો જીવ પણ ઊંડે ઉતરતો જતો હતો.મધરાતે “રામ-રામ-રામ-
રામ-રામ-રામ” એમ છ વખત રામનામ ઉચ્ચારી તેમણે દેહ છોડી દીધો.
દશરથજીનો રામજી પ્રત્યેનો પ્રેમ અને રામજીનો વિયોગ અપ્રતિમ છે.એમને રામ
પાછા નહિ જ આવે તેવી ખાતરી થતા રામજીના વિયોગમાં પ્રાણ ત્યજી દીધા.
તેમણે જીવી જાણ્યું ને મરી પણ જાણ્યું.આ દુનિયામાં જીવવું યે મહત્વનું છે ને મરવું પણ મહત્વનું છે.