Oct 12, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-1-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-1


Gujarati-Ramayan-Rahasya-99-ગુજરાતી-રામાયણ-રહસ્ય-99

વૃદ્ધાવસ્થામાં ખાધેલું પચતું નથી,છતાં ડોસાને વારંવાર સારું-સારું ખાવાની ઈચ્છા 
થાય છે.વૃદ્ધાવસ્થામાં આ લૂલી (જીભ) બહુ પજવે છે.માટે હજી શરીર સારું છે 
ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે,ત્યાં સુધી માં પ્રભુ ને રાજી કરવામાં આવે તો 
બેડો પાર છે.મરણ પથારીમાં પડ્યા પછી જેની પાછળ પૈસાનું પાણી કર્યું હશે 
તે જ લોકો,ડોસો ક્યારે મરે તેવી ઈચ્છા રાખે છે.ભાગવતમાં સગાંઓને 
શિયાળ-કૂતરાં જેવાં કહ્યા છે.છેવટે ડોસો એકલો જ રડતો,રડતો જાય છે.
તે જાણે છે કે કોઈ સાથે નહિ આવે,એકલાએ જ જવું પડશે,છતાં વિવેક રહેતો નથી.

Oct 11, 2021

Gujarati-Ramayan-Rahasya-98-ગુજરાતી-રામાયણ-રહસ્ય-98

મનુષ્ય એમ વિચારે છે કે-આખી જિંદગી કામ-ધંધો કરીશું,કાળાં-ધોળાં કરીશું 
અને અંત-કાળે ભગવાનનું નામ લઈશું તો પણ તરી જઈશું. પણ આ સમજ ખોટી છે.
એક તો અંતકાળ ક્યારે આવશે તેની કોઈને પણ ખબર નથી.
એટલે તો સંતો કહે છે કે-આ પળે જ મોત આવવાનું છે તેમ સમજી ને ચાલો,
અને બીજું,અંતકાળ આવશે ત્યારે પ્રભુ નું નામ લઇ શકાશે જ,એની કોઈ ખાતરી નથી.
જિંદગીભર જેનું ચિંતન કર્યું હશે તે જ અંતકાળે યાદ આવશે.