Oct 19, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-5-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-5


Gujarati-Ramayan-Rahasya-106-ગુજરાતી-રામાયણ-રહસ્ય-106

રામજીને વિચારમાં પડેલા જોઈને લક્ષ્મણના મનમાં કુભાવ આવ્યો,તે બોલી ઉઠયાકે-
હું સમજુ છું કે ભરત લશ્કર લઈને કેમ આવે છે !!તમે ભલા-ભોળા ને સરળ છો,એટલે 
તમે બધાને પણ તમારા જેવા ભલા,ભોળા ને સરળ સમજો છો.પણ ભરત એ તમારા
 જેવો નથી,ગાદી મળી એટલે તે ધર્મની મર્યાદા ભૂલી ગયો છે,તેણે સત્તાનો મદ ચડ્યો છે,
એ તમને શત્રુ સમજે છે ને શત્રુનો સમૂળગો નાશ કરવા અહીં લશ્કર લઈને આવે છે.
પણ,આજ લાગી તેની (ભરતની) છેડછાડ સહન કરી પણ હવે તે હું સહેવાનો નથી.
હું રામજીનો સેવક છું ને ધનુષ્ય મારા હાથમાં છે.હાથી ઝાડને તોડી નાખે તેમ હું એનો
 નાશ કરીશ.કૈકેયી પરનો ક્રોધ આજ લગી મેં દબાવી રાખ્યો છે,પણ આજે એ ક્રોધાગ્નિને છૂટો મુકીશ,
ભલેને આજે વન લોહીથી રંગાઈ જાય.

Oct 18, 2021

Gujarati-Ramayan-Rahasya-105-ગુજરાતી-રામાયણ-રહસ્ય-105

જેને ભક્તિનો રંગ લાગે છે,તેને સંસારના ભોગ રોગ સમાન લાગે છે.સંસારની માયા 
જ્યાં સુધી મીઠી લાગે છે ત્યાં સુધી,મનુષ્ય ને ભક્તિનો રંગ લાગતો નથી.ભોગ અને ભક્તિ 
એક ઠેકાણે રહી શકતાં નથી.લોકો એમ માને છે કે ભક્તિ કરવી સહેલી છે,પણ તે સાચું નથી.
“શિર સાટે નટવરને વરીએ.” ભક્તિ એ કોઈ દેખાદેખીનો વિષય નથી.
અહીં તો શિર આપવાની તૈયારી જોઈએ.
સંસારના વિષય-સુખોનો મનથી પણ જો ત્યાગ થાય તો જ ભક્તિનો રંગ આવે છે.

Oct 17, 2021

Gujarati-Ramayan-Rahasya-104-ગુજરાતી-રામાયણ-રહસ્ય-104

ભરતજીએ પણ તીર્થરાજમાં સ્નાન કરી હાથ જોડી પ્રાર્થના કરી કે-હે તીર્થરાજ,
હું દુઃખી છું,દુઃખી માણસ કયું કુકર્મ નથી કરતો? એમ આજે હું ક્ષત્રિયનો ન માગવાનો ધર્મ ચૂકીને,આપની પાસે માગું છું કે,મારે,ધર્મ,અર્થ,કામ કે મોક્ષ –એ 
કશું જોઈતું નથી.હું તો માત્ર એટલું જ માગું છું કે –જન્મોજન્મ મારો 
શ્રીરામચરણ માં પ્રેમ થાઓ. “જનમ જનમ રતિ રામપદ,યહ બરદાનુંન આન “