રાજયોગ તો આસન વિષે કહે છે કે-સ્થિર અને ટટ્ટાર થઈને આસન પર તમને અનુકૂળ આવે તેમ બેસો.એકવાર આસન પર બેસતાં આવડ્યું એટલે કેટલાકના મત પ્રમાણે નાડી-શુદ્ધિ નામની ક્રિયા કરવી પડે છે.જો કે આ ભાગ એ રાજયોગનું અંગ નથી.પણ ભાષ્યકાર શંકરાચાર્ય જેવી મહાન પ્રમાણભૂત વ્યક્તિ તે કરવાની સલાહ આપે છે,એટલે તેનો ઉલ્લેખ કરવો ઉચિત છે.
Aug 9, 2022
Aug 8, 2022
RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-07
સૌ પ્રથમ યમ-નિયમનાં પગથિયાં એ નૈતિક શિક્ષણ છે.પાયામાં તે નૈતિક શિક્ષણ લીધા વિના યોગની કોઈ પણ સાધનામાં સફળતા મળી શકે નહિ.આ બે સાધનામાં પાકો થયા પછી જ યોગી પોતાની સાધનાનાં ફળ અનુભવવા લાગે છે.યોગી કદી-કોઈને પણ મન-વચન-કર્મ થી-પણ- હાનિ કરવાનો વિચાર કરતો નથી અને તેની કરુણાનું ક્ષેત્ર કેવળ મનુષ્યો પૂરતું જ મર્યાદિત ના રાખતાં,આગળ વધારીને સમસ્ત જગતને -તે આવરી લે છે.
Aug 4, 2022
RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-04
આ રાજયોગની સાધના માટે લાંબો સમય અને નિરંતર સાધના જરૂરી છે.આ સાધનાનો અમુક અંશ શરીરના સંયમને લગતો છે,પણ મુખ્યત્વે-મનના સંયમ લગતો છે.સાધનામાં જેમ જેમ આગળ વધાય છે તેમતેમ સાધકને જણાય છે કે-મનનો શરીર સાથે કેટલો નિકટનો સંબંધ છે.મન એ કેવળ શરીરનો જ સૂક્ષ્મ વિભાગ છે.અને મન એ શરીર પર અસર પણ કરે છે.
અને શરીર પણ મનની પર વળતી અસર કરે જ છે.
Subscribe to:
Posts (Atom)