Aug 22, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-19

હવે આપણે પ્રાણાયામની "ક્રિયાઓ" વિષે વિચારીએ.
આપણે જોયું કે -પહેલું પગલું-એ ફેફસાંની ગતિને કાબૂમાં લેવાનું છે.અને એને માટે આપણે જે
પહેલું-કરવા માગીએ છીએ તે-એ છે કે-શરીરની અંદર ચાલી રહેલી વધુ સૂક્ષ્મ "ક્રિયાઓ" નું
બારીક નિરીક્ષણ કરીને તેમને પારખવી.

Aug 19, 2022

Janmashtami-જન્માષ્ટમી-શ્રીકૃષ્ણ જન્મ

Image result for janmashtami
શ્રાવણ માસ, કૃષ્ણપક્ષની અષ્ટમી (આઠમ) છે.
ને આજે પરમાત્માનું જગતમાં પ્રાગટ્ય થવાનું છે.
અંતઃકરણ ની શુદ્ધિ થાય,ત્યારે ભગવાન અંદર પ્રગટે છે.
પણ આજે તો પ્રભુ –બહાર પ્રગટ થવાના છે.
એટલે સમષ્ટિ અને અષ્ટધા પ્રકૃતિની આજે શુદ્ધિ થઇ છે.

સમય(કાળ),દિશાઓ,ધરતી,જળ-વગેરે (પંચમહાભૂતો)
આજે આનંદ માં છે. કમળ મધ્ય-રાત્રિએ ખીલતાં નથી,
પણ આજે –પ્રભુ નું આગમન થવાનું છે,તેથી –તે ખીલ્યાં છે.
મેઘો, આજે આનંદમાં ગડગડાટ કરે છે.

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-18

આ સુષુમ્ણા નાડી,સામાન્ય રીતે સામાન્ય મનુષ્યમાં નીચલે છેડે બંધ હોય છે.તેથી તેમાં થઇ ને કશી જ ક્રિયા ચાલતી નથી.પણ યોગી એક જાતની એવી સાધના સૂચવે છે કે-તેને ઉઘાડી શકાય છે.અને જ્ઞાનતંતુઓ ના પ્રવાહો તેની અંદર વહેતા કરી શકાય છે.

Aug 18, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-17

હવે આપણે આ વસ્તુને -વધુ સારી રીતે સમજવા -એક હકીકત -ભૌતિક વિજ્ઞાનમાંથી લઈશું.
આપણે વીજળી (ઈલેક્ટ્રીસીટી) અને તેની સાથે સંકળાયેલાં વિવિધ બળો વિશે સાંભળીએ છીએ,
કે જોઈએ છીએ,પણ વીજળી "પોતે" શું છે? એ કોઈ જાણતું નથી.પરંતુ તેના વિશે જેટલું જાણવામાં આવ્યું છે તે મુજબ-તે એક પ્રકારની "ગતિ" છે.

Aug 17, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-16

આધ્યાત્મિક પ્રાણ
યોગીઓના મત પ્રમાણે-મેરુદંડ (કરોડ) માં "ઈડા" અને "પિંગલા" નામના જ્ઞાનતંતુઓના બે પ્રવાહો છે.અને કરોડની મધ્યમા "સુષુમણા" નામની એક "પોલી નાડી" છે.આ પોલી સુષુમણા નાડી ને નીચેને છેડે-ત્રિકોણાકાર "કુંડલિની-પદ્મ" આવેલું છે.