Sep 5, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-29

સમાધિ અવસ્થાએ -વૈજ્ઞાનિક પદ્ધતિથી -પહોંચવા માટે-"રાજયોગ" નાં વિવિધ પગથિયાં પર થઈને,
અનુભવ લઈને-ઉપર ચડવું -જ સલાહ ભરેલું અને હિતાવહ છે.આગળ આપણે પ્રત્યાહાર અને ધારણાનાં પગથિયાં (ભૂમિકા) વિશે જોઈ ગયા.હવે ધ્યાન અને સમાધિની ભૂમિકા (પગથિયું) આવે છે.

Sep 2, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-28

જેને આપણે "માનવ-જીવન" કહી એ છીએ (કે જે વિસંવાદિતા નો જાણે સમૂહ છે) તેનો -શું હેતુ છે?
તેનો જવાબ મેળવવા આપણે બુદ્ધિથી પર તો જવું જ પડશે.અને આમ કરવા -રાજયોગની વૈજ્ઞાનિક પદ્ધતિએ ધીરે ધીરે અને અભ્યાસ-પૂર્વક જવાનું છે.
સાથે સાથે સઘળા વહેમોને ફેંકી દેવાના છે.

Sep 1, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-27

એ બધામાં એટલું તો સર્વ-સામાન્ય (કોમન) છે કે-
એ બધા જ જ્ઞાનનો સંદેશ મળ્યો હોવાનો દાવો કરે છે,
અને તે જ્ઞાન તેમણે તેમની તર્ક-બુદ્ધિ દ્વારા મેળવેલ નથી, પણ બુદ્ધિને પેલે-પારથી તેમને તે જ્ઞાન (સંદેશ) મળ્યો છે.યોગ-વિજ્ઞાન કહે છે કે-તેમને જે બુદ્ધિની પેલે પારથી જે જ્ઞાન મળ્યું છે તે -તેમનો દાવો સાચો છે,પણ-
જો બરોબર વિચારવામાં આવે તો તે-"જ્ઞાન આવ્યું છે તેમના પોતાના અંદરથી જ."

Aug 31, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-26

જયારે મનુષ્ય,ગાઢ નિંદ્રામાં જાય છે-ત્યારે તે સચેત ભૂમિકાથી નીચે ની "અચેત" ભૂમિકામાં પ્રવેશે છે.
એ સ્થિતિમાં તે શ્વાસ લેવાની સાથે -પડખું ફેરવવું વગેરે -જેવી શારીરિક ક્રિયાઓ પણ કરતો હોય છે.
પણ આ બધું કરતી વખતે તેને તે ક્રિયાઓ "હું કરું છું" એવું ભાન હોતું નથી.એ "અચેત" ભૂમિકા  છે.

Aug 30, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-25

ધ્યાન અને સમાધિ
અત્યાર સુધીમાં રાજયોગના જુદાં જુદાં પગથિયાંઓનું અવલોકન કર્યું,હવે,,જે ધ્યેયે આપણને રાજયોગ લઇ જવાનો છે-તે એકાગ્રતાના સૂક્ષ્મ પગથિયાં
(ધ્યાન અને સમાધિ)નું અવલોકન કરીએ.