અધ્યાય-૨૫-કદ્રૂએ કરેલી ઇન્દ્રની સ્તુતિ
II सौतिरुवाच II ततः कामगमः पक्षी महावीर्यौ महाबलः I मातुरंतिकभागच्छत् परं पारं महोदधेः II १ II
સૂતજી બોલ્યા-પછી,ઈચ્છા પ્રમાણે ગતિ કરવાવાળો,તે મહાવીર્યવાન અને મહાબળવાન,ગરુડ,
મહાસાગરને પેલે પાર માતા પાસે જઈ પહોંચ્યો.કે જ્યાં,શરતમાં પરાજય પામેલી અને દાસીપણું કરી રહેલી,
તેની માતા વિનતા,અત્યંત દુઃખ અને સંતાપ પામી રહી હતી.