Jan 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-071

 
અધ્યાય-૭૭-કચ અને દેવયાનીના પરસ્પર શાપ 

II वैशंपायन उवाच II समावृतव्रतं तं तु विसृष्ट गुरुणा सदा I प्रस्थितं त्रिदशावासं देवयान्यव्रविददम् II १ II

વૈશંપાયન બોલ્યા-જેનું વ્રત પૂરું થયું છે ને જેણે ગુરુથી વિદાય લીધી છે,તે કચ,દેવધામ જવા નીકળ્યો ત્યારે,

દેવયાનીએ તેને કહ્યું કે-હે કચ,જેમ,અંગિરા ઋષિ,મારા પિતાને માન્ય છે તેમ,બૃહસ્પતિ પણ મને માન્ય ને પૂજ્ય છે.

હવે,હું જે કહું છું તે વિષે તું વિચાર.તું નિયમપરાયણ ને (બ્રહ્મચર્ય) વ્રતમાં હતો,ત્યારે જેમ હું તને ભજતી હતી,

તેમ,વિદ્યાનું સમાપન કરીને વ્રતથી મુક્ત થયેલો તું મને ભજવા યોગ્ય છે,

માટે હવે તું,મંત્રપૂર્વક ને વિધિસર મારા હાથનો સ્વીકાર કર.

Jan 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-070


ત્યાર બાદ,ત્રીજીવાર,તે અસુરોએ કચને મારી નાખ્યો ને તેને બાળીને તેનું ચૂર્ણ કરીને,મદિરામાં ભેળવીને,

શુક્રાચાર્યને પાઈ દીધું.દેવયાનીએ કચને ન જોઈને પિતાને ફરિયાદ કરી કે-'ક્યાંય કચ દેખાતો નથી'

ત્યારે શુક્રાચાર્ય બોલ્યા કે-હે પુત્રી,કચ,મરણ પામ્યો છે.તેને(બે વખત) મેં સંજીવની વિદ્યાર્થી તેને સજીવન કર્યો,

પણ અસુરો તેને મારી નાખે છે.તેને માટે શોક કરવો ઘટતો નથી,કેમ કે તેને ફરીથી જીવતો રાખવો અશક્ય છે,

કેમ કે તે ફરીથી જીવતો થાય તો,અસુરોથી,તેનો ફરીથી વધ થવાનો જ છે (33-48)

Jan 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-069


 અધ્યાય-૭૬-કચ ને સંજીવનીવિદ્યાની પ્રાપ્તિ 

II जनमेजय उवाच II ययाति: पूर्वजोSस्माकं दशमो यः प्रजापतेः I कथं स शुक्रतनयां लेभे परमदुर्लभाम् II १ II

જન્મેજય બોલ્યા-પ્રજાપતિથી દશમી પેઢીએ થયેલા અમારા પૂર્વજ તે યયાતિએ પરમ દુર્લભ શુક્રપુત્રીને 

ક્યાંથી મેળવી? વળી,તમે બીજા વંશકર્તાઓ વિષે પણ અનુક્રમે કહો (1-2)

Jan 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-068


અધ્યાય-૭૫-યયાતિ રાજાનું ઉપાખ્યાન 

II वैशंपायन उवाच II प्रजापतेस्तु दक्षस्य मनो वैवस्वतस्य च I भरतस्य कुरोः पुरोराजमिढस्य चानाध II १ II

વૈશંપાયન બોલ્યા-હે અપાપ,દક્ષ પ્રજાપતિ,વૈવસ્વત મનુ,ભારત,પુરુ,આજમીઢ,યાદવો,કૌરવો અને ભારતો,

એ વંશોની પુણ્યશાળી,મહાકલ્યાણકારી તેમ જ યશ તથા આયુષ્ય દેનારી કથા હું તમને કહું છું.

પ્રચેતાને દશ પુત્રો હતા,તેમનાથી પ્રાચેતસ પ્રજાપતિ દક્ષ જન્મ્યા,

કે જેમની આ સર્વ પ્રજા થઇ છે,એ દક્ષ પ્રજાપતિ,સર્વ લોકના પિતામહ કહેવાય છે (1-5)

Jan 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-067


પિતૃઓએ,પુત્રને કુળ-વંશની પ્રતિષ્ઠારૂપ ને સર્વ ધર્મમાં ઉત્તમ કહ્યો છે,માટે પુત્રનો ત્યાગ કરવો ન ઘટે.

ધર્મ ને કીર્તિને વધારનાર અને મનુષ્યના મનની પ્રીતિ વધારનાર પુત્રો જન્મ લઈને,ધર્મ-રૂપી-નાવ બની 

પિતૃઓને નરકમાંથી બચાવે છે,તેથી,હે રાજન,પુત્રનો ત્યાગ કરવો તમારા માટે યોગ્ય નથી.

જેમ,સો કુવાઓ કરતાં એક વાવ ચડિયાતી છે,સો વાવો કરતાં એક યજ્ઞ ચડિયાતો છે,સો યજ્ઞો કરતાં એક પુત્ર ચડિયાતો છે,અને સો પુત્ર કરતાં એક સત્ય ચડિયાતું છે,હજાર અશ્વમેઘ યજ્ઞો ને સત્યને તોલવામાં આવે તો 

સત્ય ચડિયાતું જ સાબિત થયું છે,તો,તમારે,કપટ નહિ કરતા,સત્યનું રક્ષણ કરવું ઘટે છે.