Jan 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-076

 
અધ્યાય-૮૨-દેવયાની અને શર્મિષ્ઠાને સંતાન પ્રાપ્તિ 

II वैशंपायन उवाच II ययातिः स्वपुरं प्राप्य महेन्द्रपुरसन्निभम् I प्रविष्यांत:पुरं तत्र देवयानीं न्यवेशयत्  II १ II

વૈશંપાયન બોલ્યા-ઇન્દ્રપુરી જેવી,પોતાની નગરીમાં આવીને રાજા યયાતિએ,દેવયાનીને પોતાના અંતઃપુરમાં નિવાસ આપ્યો અને દેવયાનીની સંમતિ પ્રમાણે શર્મિષ્ઠાને,અશોકવનની પાસે ઘર કરાવીને તેમાં વાસ આપ્યો.

વળી,સહસ્ત્ર દાસીઓથી ઘેરાયેલી શર્મિષ્ઠાને,વસ્ત્ર-ખાનપાન આદિની વ્યયવસ્થાથી સત્કારવામાં આવી.

યયાતિએ અનેક વર્ષ સુધી દેવયાની સાથે સુખ ને આનંદમાં વિહાર કર્યો.

ઋતુકાળ આવતાં,દેવયાનીએ ગર્ભ ધારણ કર્યો,ને પહલે ખોળે એક કુમાર (પુત્ર)નો જન્મ આપ્યો.(1-5) 

Jan 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-075

અધ્યાય-૮૧-યયાતિ રાજા સાથે દેવયાનીનાં લગ્ન 

II वैशंपायन उवाच II अथ दीर्घस्य कालस्य देवयानि नृपोत्तम I चनं तदेव निर्याता क्रीडार्थ वरवर्णिनी  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,લાંબા સમય બાદ,તે દેવયાની,હજાર દાસીઓ ને શર્મિષ્ઠા સાથે,તે જ વનમાં ક્રીડા કરવા માટે ગઈ.જયારે,તે વનમાં તે,સર્વ સખીઓ સાથે ક્રીડાઓ કરતી ને વિવિધ ભોજન આરોગતી હતી,તેવામાં,

મૃગયા માટે નીકળેલો,ને થાકથી પીડાયેલો,રાજા યયાતિ ફરી,તે જ વનમાં પાણીની શોધમાં આવી ચડ્યો.

ત્યારે,રાજાએ,સુંદર આભૂષણોથી વિભૂષિત,દેવયાની ને શર્મિષ્ઠા-એ બે યુવતીઓને જોઈ.

Jan 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-074

 
અધ્યાય-૮૦-શર્મિષ્ઠા દેવયાનીની દાસી થઇ 

II वैशंपायन उवाच II ततः काव्यो भृगु श्रेष्ठ: समन्पुरुषगम्य ह I वृषपर्वाणमासीनमित्युवाचाविचारन  II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,ભૃગુશ્રેષ્ઠ કવિપુત્ર શુક્ર,વૃષપર્વા પાસે ગયા,ને  સહસતાથી જ તેને કહેવા લાગ્યા કે-

હે રાજન,અધર્મ કર્યો હોય,તો તે ગાયની જેમ તરત જ ફળતો નથી,તે તો આવર્તન પામીને (વધીને) ધીરેધીરે અધર્મ કરનારનો મૂળથી નાશ કરે છે.જેમ,ઠાંસીને ખાવાથી પેટને પીડા થાય જ છે,તેમ,પાપ પણ ચોક્કસ ફળ આપે જ છે.

કદાચ પોતે,પોતાના કરેલ પાપને જોઈ શકે નહિ,પણ તે પાપનું ફળ તો મળે જ છે ને દેખાય છે.

Jan 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-073

 
અધ્યાય-૭૯-શુક્રાચાર્ય અને દેવયાનીનો સંવાદ 

II शुक्र उवाच II यः परेपां नित्यमतिवादां स्तितिक्षते I देवयानि विजानीहि तेन सर्वमिदं जितम् II १ II

શુક્ર બોલ્યા-હે દેવયાની,જે મનુષ્ય,નિત્ય,પરકાઓની નિંદા સહી લે છે તેણે,આખું જગત જીત્યું છે એમ જાણ.

જે ઉછળતા ક્રોધને,ઘોડાની જેમ કાબુમાં રાખે છે,તેને જ સંતો સાચો સારથી કહે છે,નહી કે માત્ર લગામોને 

ઝાલી રાખનારને.ઉછળેલા ક્રોધને,અક્રોધથી જે કાબુમાં રાખે છે,તેણે આ જગત જીત્યું છે એમ જાણજે.

Jan 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-072

અધ્યાય-૭૮-દેવયાની અને શર્મિષ્ઠા વચ્ચે વિરોધ 


II वैशंपायन उवाच II कृतविद्ये कचे प्राप्ते हृष्टरूपा दिवौकसः I कचादधीत्य तां विद्यां कृतार्था भरतर्षम  II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભરતોત્તમ,કચ વિદ્યાસંપન્ન થઈને આવ્યો તેથી દેવો હર્ષિત થયા અને તેની પાસેથી વિદ્યા શીખીને કૃતાર્થ થયા.પછી,તે બધા દેવો,(શતક્રતુ) ઇન્દ્ર પાસે જઈને બોલ્યા-'તમારા પરાક્રમનો આ વખત છે,તમે શત્રુઓને હણી નાખો' ત્યારે ઇન્દ્રે કહ્યું કે-'ભલે તેમ હો' ને પછી તેણે પૃથ્વી તરફ પ્રયાણ કર્યું.ત્યાં તેણે વનમાં સ્ત્રીઓને જોઈ કે જે

જળક્રીડા કરતી હતી,ત્યારે ઇન્દ્રે વાયુરૂપ થઈને તે સ્ત્રીઓના વસ્ત્રોને સેળભેળ કરી દીધાં.(1-4)