Feb 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-086

 
અધ્યાય-૯૪-પૂરુ(પૌરવ)વંશનું વર્ણન 

II जनमेजय उवाच II भगवन् श्रोतुमिच्छामि पूरोवंशकरानृपान I यद्विर्यान यादशांश्वापि यावतो यत्पराक्रमान् II १ II

જન્મેજય બોલ્યા-હે ભગવન,પૂરૂવંશ ચલાવનારા રાજાઓ વિષે હું સાંભળવા ઈચ્છું છું.તેઓ કેવા હતા?

કેવા વીર્યવાન ને પરાક્રમી હતા? કેટલા હતા? તેમનામાં કોઈ રાજા શીલ વિનાનો કે નિઃસંતાન થયો નથી,

તો તે પ્રસિદ્ધ ચારિત્ર્યવાળા રાજાઓના ચરિત્રને હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું (1-3)

Feb 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-085

અધ્યાય-૯૩-યયાતિને પુનઃ સ્વર્ગપ્રાપ્તિ 


II वसुमान उवाच II वसुमानौपद्श्विर्यध्यस्ति लोको दियि मे नरेन्द्र I 

यद्यंतरिश्वे प्रथितो महात्मन क्षेत्रज्ञं त्वां तस्य धर्मस्य मन्ये II १ II

વસુમાન બોલ્યો-હે નરેન્દ્ર,હું ઉષદશ્વનો પુત્ર વસુમાન,હું તમને ધર્મના જ્ઞાતા જાણું છું,

એટલે તમને પૂછું છું કે-સ્વર્ગ કે અંતરિક્ષમાં મારા માટે પ્રસિદ્ધ લોક છે કે ?

યયાતિ બોલ્યો-સૂર્યનારાયણ પોતાના તેજથી જે અંતરિક્ષ,પૃથ્વી અને દિશાઓના લોકોને

 પ્રકાશિત કરે છે,તેટલા.અનંત એવા પુણ્યલોકો સ્વર્ગમાં તમારી રાહ જુએ છે.(1-2)

Feb 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-084

અધ્યાય-૯૨-યયાતિને માટે પુનઃ સ્વર્ગગમનની પ્રાર્થના 


II अष्टक उवाच II कतरस्त्वनयो: पूर्व देवानामेति सात्मताम् I उभ्योर्धावतो राजन् सूर्याचन्द्रमसोरिव II १ II

અષ્ટક બોલ્યો-હે રાજન,સૂર્ય અને ચંદ્રની જેમ દોડતા યોગી અને જ્ઞાની-એ બેમાંથી કોણ પહેલાં દેવત્વને પામે છે?

યયાતિ બોલ્યો-યથેચ્છ વર્તનારા ગૃહસ્થોવાળા ગામમાં રહેવા છતાં,જે નિષ્કામ ને જિતેન્દ્રિય છે,

તે જ્ઞાની,પહેલો દેવરૂપને પામે છે.જે,યોગીને દીર્ઘ આયુષ્ય મળ્યું હોય છતાં સિદ્ધિ ન મળી હોય,

ને તે જો કોઈ પાપ કરી નાખે તો તેના પ્રાયશ્ચિત અર્થે તે બીજું તપ કરે.પણ,

જે જ્ઞાની(નિષ્કામ) પુરુષે સાક્ષાત્કારની સિદ્ધિ મેળવી છે,તે કદાચ પાપ કરે તો પણ,તેને મુક્તિલાભ મળે છે.

Feb 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-083

 
અધ્યાય-૯૧-યયાતિ ચરિત્ર-આશ્રમધર્મો 

II अष्टक उवाच II चरन् गृहस्थः कथमेति धर्मान कथं भिक्षुः कथमाचार्यकर्मा I 

वानप्रस्थः सत्यथे सन्निविष्टो यहुन्यस्मिन् संप्रति वेदयंति II १ II

અષ્ટક બોલ્યો-બ્રહ્મચારી,ગૃહસ્થી,વાનપ્રસ્થી અને સંન્યાસી-(એ ચાર આશ્રમોવાળા) કયા ધર્મો આચરે,

તો તે ઉત્તમ લોકને પામે? અત્યારે તો આ ધર્મો સંબંધમાં વેદવેત્તાઓ જુદીજુદી રીતે કહે છે.(1)

Jan 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-082

 
અધ્યાય-૯૦-યયાતિ ચરિત્ર-પુનર્જન્માદિ વિચાર 

II अष्टक उवाच II यदाSवसो नन्दने कामरूपी संवत्सराणांयुतं शतानाम I 

किं कारणं कार्तयुग प्रधान हित्वा च त्वं वसुधामन्वपद्यः  II १ II

અષ્ટક બોલ્યો-હે સત્વયુગપ્રધાન,તમે યથેચ્છરૂપે નંદનવનમાં દશલાખ વર્ષ રહ્યા,

તો શા કારણે તે છોડીને તમે  પૃથ્વીને પામ્યા? (1)

યયાતિ બોલ્યો-જેમ,આ લોકમાં,ધનમાં ક્ષીણ થાય છે ત્યારે,સગો,મિત્ર,સ્વજન તેને છોડી દે છે,

તેમ ત્યાં એ મનુષ્ય પુણ્યથી ક્ષીણ થાય ત્યારે ઐશ્વર્યવાન દેવો તેને તરત જ ત્યજી દે છે (2)