અધ્યાય-૯૫-પૂરુવંશનું વિશિષ્ટ વર્ણન (મહાભારતનાં પાત્રો)
II जनमेजय उवाच II श्रुतस्तवतो मया ब्रह्मन् पूर्वेषां संभवो महान् I उदाराश्वापि वंशेSस्मिन् राजानो मे परिश्रुताः II १ II
જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,તમારી પાસેથી,મેં પૂર્વ (પૂરૂવંશના) પુરુષોની જન્મવાર્તા ને એ વંશમાં થયેલા રાજાઓ વિશે સાંભળ્યું,પણ એ આખ્યાન સંક્ષિપ્ત અર્થમાં હોઈ મને પૂરી તૃપ્તિ આપતું નથી.તો તમે મને પ્રજાપતિથી માંડીને મનુની એ દિવ્યકથા ફરીથી કહો.આ પાવનકારી કથા સાંભળતાં મને તૃપ્તિ થતી નથી (1-5)