અધ્યાય-૧૨૧-વ્યુષિતાશ્વનું ઉપાખ્યાન
II वैशंपायन उवाच II एवमुक्ता महाराज कुंती पाण्डुममापत I कुरुणामृपमं धीरं तदा भूमिपति पतिम् II १ II
વૈશંપાયન બોલ્યા-પાંડુએ આમ કહ્યું એટલે કુંતીએ,કુરુઓમાં સિંહ જેવા પોતાના પતિં,પાંડુને કહ્યું કે-
'હે ધર્મજ્ઞ,આપનામાં હું અનન્ય પ્રીતિવાળી છું,ને મને ધર્મપત્નીને આવું કહેવું તમને કોઇ રીતે યોગ્ય નથી.
તમે જ,ધર્મપૂર્વક મારામાં ગમન કરી,પુત્રો ઉત્પન્ન કરો.હું તમારી સાથે સ્વર્ગમાં આવીશ.તમારા સિવાય કોઈ
બીજા પાસે હું મનથી એ પણ નહિ જાઉં,પૃથ્વીમાં તમારાથી ચડિયાતો કોણ છે ? હે ધર્માત્મા,પૂર્વે મેં એક પુરાણકથા સાંભળી હતી તે અત્યારે હું તમને કહું છું તે તમે સાંભળો.(1-6)