Mar 14, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-120


જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,દ્રોણ કેવી રીતે જન્મ્યા?તેમને વિવિધ અસ્ત્રો કેવી રીતે મળ્યા? તે કુરુઓ પાસે 

ક્યાંથી આવ્યા?તે કોના પુત્ર હતા? ને તેમના અશ્વસ્થામા નામના પુત્ર વિષે વિસ્તારથી કહો (32)

Mar 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-119

 
અધ્યાય-૧૩૦-કૃપાચાર્યનો જન્મ-દ્રોણને ભાર્ગવ-અસ્ત્રની પ્રાપ્તિ 

II जनमेजय उवाच II कृपस्यापि मम ब्रह्मन् संभवं वक्तुमर्हसि I शरस्तम्बात कथं जज्ञे कथं वास्त्राण्यवाप्तवान  II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,કૃપાચાર્યનો જન્મ કેવી રીતે થયો? તે મને કહો.શર (બાણ)ના ગુચ્છમાં  

તે કેવી રીતે ઉત્પન્ન થયા હતા?ને તેમણે સર્વ અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા કેવી રીતે પ્રાપ્ત કરી હતી? (1)

Mar 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-118

 
અધ્યાય-૧૨૯-ભીમનું પાછું આવવું 

II वैशंपायन उवाच II ततस्तै कौरवाः सर्वे विनाभीमं च पाण्डवाः I वृतकृद विहारस्तु प्रतस्थुर्गजसाह्रुयम् II १ II

વૈશંપાયન બોલ્યા-ક્રીડા અને વિહારથી પરવારીને,કૌરવો ને પાંડવો રથો,ઘોડાઓ-આદિ વાહનોમાં બેસીને,

હસ્તિનાપુર જવા નીકળ્યા.ભીમસેન દેખાયો નહિ,એટલે દુર્યોધને કહ્યું કે-તે તો આપણી ય આગળ ચાલી ગયો છે.

પાપી દુર્યોધન,આનંદિત થઈને નગરમાં પ્રવેશ્યો,જયારે યુધિષ્ઠિરને તો પોતાનામાં પાપ ન મળે,એટલે પોતાના દાખલાથી બીજાઓને પણ સાધુવૃત્તિવાળા (અપાપી) જ જોતા હતા.(1-4)

Mar 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-117

 
અધ્યાય-૧૨૮-ભીમને વિષપાન 

II वैशंपायन उवाच II ततः कुन्ति च राज च भीष्मश सहश्न्भुमि: I ददु:श्राद्धं तदा पाण्डोः स्वधामृतमयंतदा II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,કુંતી,ધૃતરાષ્ટ્ર ને ભીષ્મે,બંધુઓની સાથે મળીને,સ્વધાયુક્ત અમૃતમય શ્રાદ્ધ આપ્યું.

હજારો શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન આપ્યું તેમ જ રત્ન-ગામો-આદિનું દાન પણ આપ્યું.

શ્રાદ્ધ પૂરું થયા પછી સર્વ જનોને અને માતાને શોકાર્ત ને દુઃખી જોઈને,વ્યાસજી,માતાને કહેવા લાગ્યા કે-

Mar 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-116

અધ્યાય-૧૨૭-પાંડુ તથા માદ્રીની ઉત્તરક્રિયા 


II धृतराष्ट्र उवाच II पाण्डोर्विदुर सर्वाणि प्रेतकार्याणि कारय I राजयद्राजसिन्हस्य माद्रयाश्वैव विशेषतः II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે વિદુર,રાજસિંહ પાંડુની તેમ જ માદ્રીની,સર્વ પ્રેતક્રિયાઓ,ખાસ રાજવિધિએ ઠરાવો.

ને આ નિમિત્તે,જેમને,જેટલાં જોઈએ તેટલાં પશુઓ,વસ્ત્રો,રત્નો ને વિવિધ ધનનું દાન કરો.વળી,

કુંતી કહે તે રીતે માદ્રીનો (માદ્રીના અવશેષોનો) એવો સત્કાર કરો કે-સુંદર ઓઢણ પામેલા 

તે અવશેષોને વાયુ કે સૂર્ય પણ જોઈ શકે નહિ.નિર્દોષ પાંડુ,સ્તુતિપાત્ર છે,શોક કરવા યોગ્ય નથી,

કેમ કે તેને દેવના જેવા પાંચ વીર પુત્રો જન્મ્યા છે.(1-4)