વનમાં,તેઓએ,મેલથી લસોટાયેલા અંગવાળા,જટાવાળા ને ચીરધારી એકલવ્યને સતત બાણ છોડતો જોયો.
એકલવ્યે પણ,ગુરુદ્રોણને જોયા,એટલે દોડતો જઈને પૃથ્વી પર શિર ઢાળીને તેમના ચરણમાં વંદન કર્યા.
ને પછી,પોતાને તેમના શિષ્ય તરીકે ઓળખાવીને બે હાથ જોડીને તેમની સામે ઉભો રહ્યો.
ત્યારે દ્રોણે કહ્યું કે-'હે વીર,જો તું મારો શિષ્ય હો,તો મને મારી ગુરુદક્ષિણા આપ'
તે સાંભળી,એકલવ્ય અતિ પ્રસન્ન થઈને બોલ્યો-'આપને હું શું આપું? આપ ગુરુજી મને આજ્ઞા કરો'