અધ્યાય-૧૩૧-દ્રોણ અને ભીષ્મનું મિલન
II वैशंपायन उवाच II ततो द्रुपदमासाद्य भारद्वाजः प्रतापवान् I अब्रवीत पार्थियं राजन् सखायं विद्विमामिह II १ II
પછી,પ્રતાપી ભરદ્વાજના પુત્ર દ્રોણ,દ્રુપદ રાજા પાસે જઈને બોલ્યા-હે રાજન,હું તમારો મિત્ર અહીં આવ્યો છું
તેમ જાણો' પણ,ગર્વિષ્ઠ અને ઐશ્વર્યમદથી ઉન્મત્ત પાંચાલપતિ દ્રુપદરાજાએ દ્રોણનો અનાદર કરતાં કહ્યું કે-
હે બ્રાહ્મણ,તારી બુદ્ધિ કાચી ને સમજણ વિનાની જ છે,ને એટલે તું કહી રહ્યો છે કે 'હું તમારો મિત્ર છું'
પણ,ઐશ્વર્યસંપન્ન રાજાને ક્યારેય ઐશ્વર્યહીન,ધનભ્રષ્ટ (ગરીબ) મનુષ્ય સાથે મૈત્રી હોતી જ નથી.