Mar 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-129

 
અધ્યાય-૧૩૬-કર્ણનો રાજ્યાભિષેક 

II वैशंपायन उवाच II दत्तेSवकाशे पुरुषैर्विस्मयोत्फ़ुल्ललोचनै:I विवेश रंगं विस्तीर्ण कर्णः परपुरंजयः II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,વિસ્મયથી વિકસી ઉઠેલાં નયનવાળા લોકોએ,માર્ગ આપ્યો,એટલે શત્રુજિત કર્ણ,

તે વિશાળ રંગમંડપમાં આવ્યો.જન્મથી જ સાથે આવેલા કવચ અને કુંડળથી તે શોભતો હતો.તેણે,

ધનુષ્ય-તલવાર બાંઘ્યા હતા,ને તે પગે ચાલતા પર્વત જેવો જણાતો હતો.વિશાળ લોચનવાળો,સૂર્યના અંશવાળો 

તે કર્ણ,પૃથાને કન્યાવસ્થામાં થયેલો પુત્ર હતો,સિંહ અને ગજેન્દ્ર સમાન તેનાં બળ,વીર્ય ને પરાક્રમ હતા,તો સૂર્ય અને 

અગ્નિ સમાન તે પ્રકાશમાન,કાંતિવાન ને તેજસ્વી જણાતો હતો.સ્વયં સૂર્યથી જન્મેલ તે યુવાન સુવર્ણના તાડ 

જેવો ઊંચો હતો,સિંહના જેવો વજ્રઅંગ વાળો તે અસંખ્ય ગુણોથી સંપન્ન હતો.તે મહાબાહુએ રંગમંડપને 

સર્વ બાજુએથી જોયું,અને દ્રોણાચાર્ય તથા કૃપાચાર્યને જાણે સાધારણ આદરથી પ્રણામ કર્યા.(1-6)

Mar 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-128

 
અધ્યાય-૧૩૫-અર્જુનની પરીક્ષા 

II वैशंपायन उवाच II कुरुराजे हि रंगस्थे भीमे च बलिनां वरे I पक्षपातकृतस्नेहः स द्विधेवाभवज्जनः II १ II

વૈશંપાયન બોલ્યા-કુરુરાજ દુર્યોધન અને મહાબળવાન ભીમ,જયારે રંગભૂમિમાં ઉતર્યા,ત્યારે,પક્ષપાતી સ્નેહને લીધે લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા.કેટલાક 'વાહ કુરુરાજ' તો કેટલાક 'વાહ ભીમ' એમ મોટેથી બોલી રહ્યા ને તેને લીધે રંગભૂમિ પર એક જબરદસ્ત શોર થયો.મંડપને આમ ઉકળેલો જોઈને દ્રોણાચાર્ય,અશ્વસ્થામાને કહેવા લાગ્યા કે-

આ બેઉ સિદ્ધ વિદ્યાવાળાને તું વાર,તેમને કારણે રંગમંડપમાં પ્રકોપ ન થવો જોઈએ.(1-4)

Mar 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-127

અધ્યાય-૧૩૪-કુમારોની પરીક્ષા 


II वैशंपायन उवाच II कृतास्त्रान धार्तराष्ट्रंश्च पाण्डुपुत्रांश्चभारत I द्रष्ट्वा द्रोणोSश्चविद्राजन धृतराष्ट्रं जनेश्वरम् II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,પાંડવો અને ધાર્તરાષ્ટ્રો(કૌરવો)ને અસ્ત્રવિદ્યામાં નિષ્ણાત થયેલા જોઈને,

દ્રોણાચાર્યે, (કૃપ-ગાંગેય-વ્યાસ-આદિની હાજરીમાં) જનેશ્વર ધૃતરાષ્ટ્રને કહ્યું કે-'હે રાજન,તમારા 

કુમારો વિદ્યાસંપન્ન થયા છે,તેથી જો આપની અનુમતિ હોય તો,તેઓ સર્વ સમક્ષ તેમની વિદ્યા બતાવે' 

એટલે હૃદયમાં પ્રસન્ન થયેલા ધૃતરાષ્ટ્રે કહ્યું કે-

Mar 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-126

 
અધ્યાય-૧૩૩-અર્જુને નિશાન પાડ્યું ને દ્રોણને મગરના મોંમાંથી છોડાવ્યા 

II वैशंपायन उवाच II ततो धनंजयं द्रोणः स्मयमानोSभ्यमापत I स्वयेदानिं प्रहर्तव्यमेतल्लक्ष्यं विलोक्यताम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,દ્રોણે હસતાં હસતાં ધનંજય (અર્જુન)ને કહ્યું-'હવે તારે લક્ષ્યને પાડવાનું છે,

તું એ લક્ષ્યને જો,ને હું આજ્ઞા આપું ત્યારે તરતજ તારું બાણ છૂટવું જોઈએ.

હે અર્જુન,પેલા ત્યાં રહેલા ભાસ પક્ષીને,વૃક્ષને અને મને પણ તું જુએ છે ને?'

અર્જુન બોલ્યો-'હું તો એક ભાસ પક્ષીને જ જોઉં છું,ઝાડને કે આપને હું જોતો જ નથી'

Mar 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-125


વનમાં,તેઓએ,મેલથી લસોટાયેલા અંગવાળા,જટાવાળા ને ચીરધારી એકલવ્યને સતત બાણ છોડતો જોયો.

એકલવ્યે પણ,ગુરુદ્રોણને જોયા,એટલે દોડતો જઈને પૃથ્વી પર શિર ઢાળીને તેમના ચરણમાં વંદન કર્યા.

ને પછી,પોતાને તેમના શિષ્ય તરીકે ઓળખાવીને બે હાથ જોડીને તેમની સામે ઉભો રહ્યો.

ત્યારે દ્રોણે કહ્યું કે-'હે વીર,જો તું મારો શિષ્ય હો,તો મને મારી ગુરુદક્ષિણા આપ'

તે સાંભળી,એકલવ્ય અતિ પ્રસન્ન થઈને બોલ્યો-'આપને હું શું આપું? આપ ગુરુજી મને આજ્ઞા કરો'