અધ્યાય-૧૩૯-પાંડવોના પરાક્રમથી ધૃતરાષ્ટ્રને ચિંતા
II वैशंपायन उवाच II ततः संवत्सरस्यानते यौवराज्याय पार्थिव I स्थापितो धृतराष्ट्रेण पाण्डुपुत्रो युधिष्ठिरः II १ II
વૈશંપાયન બોલ્યા-હે રાજા,આ વાતને એક વર્ષ વીત્યા પછી,ધૃતરાષ્ટ્રે યુધિષ્ટિરની,ધીરતા,અકઠોરતા,
સરળતા,દયાળુતા ને સ્થિર મિત્રતા-આદિ ગુનો જોઈને તેમને યુવરાજપદે સ્થાપ્યા.
ને ટૂંક સમયમાં જ યુધિષ્ઠિરે,પોતાના સદગુણોથી,પિતાની કીર્તિને પણ પાછળ પાડી દીધી.(1-3)