Apr 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-141

અધ્યાય-૧૪૬-લાક્ષાગૃહમાં યુધિષ્ઠિર અને ભીમનો સંવાદ 

II वैशंपायन उवाच II ततः सर्वा: प्रकृतयो नगराद्वारणावतात I सर्वमंगलसंयुक्ता यथाशास्त्रमतंद्रिता II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પાંડવોને આવેલા સાંભળીને,વારણાવતના લોકો હજારોની સંખ્યામાં,મંગલ પદાર્થો લઈને,તેઓને મળવા આવ્યા.ને તેમને વીંટળાઈને ઉભા.ને નગરવાસીઓએ પાંડવોનો સત્કાર કર્યો,સામે,પાંડવોએ પણ તે નગરજનોને સત્કાર્યા,ને પછી પાંડવોએ વારણાવતમાં પ્રવેશ કર્યો.નગરમાં જઈને તેઓએ,પ્રથમ બ્રાહ્મણો ત્યાં ગયા ને પછી,નગરના અધિકારીઓ,રથીઓ,વૈશ્યો ને શુદ્રોને ઘેર પણ ગયા.ત્યાર બાદ,પુરોચનને આગળ કરીને તેઓ પોતાના ભવનમાં ગયા,પુરોચને તેમને ભોજન,આસન ને શુભ શૈય્યાઓ આપ્યાં.(1-9)

Apr 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-140

 
અધ્યાય-૧૪૫-વારણાવતમાં પાંડવોનું આગમન 

II वैशंपायन उवाच II पाण्डवास्तु रथान युक्त्वा सद्श्वैरनिलोपमैः I आरोहमाणा भीष्मस्य पादौ जगृहुरार्त्तवत् II १ II

વૈશંપાયન બોલ્યા-તે પછી,પાંડવોએ રથોને સરસ અને પવનવેગી ઘોડાઓ જોડાવ્યા,ને તેમાં બેસતી વખતે,તેઓ,

ભીષ્મ,ધૃતરાષ્ટ્ર,દ્રોણ,કૃપ તેમજ વિદુર આદિને દીનતાપૂર્વક પગે લાગ્યા.ને આમ સર્વ કુરુવૃદ્ધોને પ્રણામ કરીને,

સમોવડિયાઓને આલિંગન આપીને,સર્વ માતાઓની પ્રદિક્ષણા કરીને,તેમની આજ્ઞા લઈને,

તે નિયમવ્રતી પાંડવો,માતા સાથે વારણાવત જવા નીકળ્યા.(1-4)

Apr 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-139

અધ્યાય-૧૪૩-પાંડવોનું વારણાગત જવું 


II वैशंपायन उवाच II ततो दुर्योधनो राज सर्वाः प्रकृतयः शनैः I अर्थमानप्रदानाभ्यां संजहार सहानुजः II १ II

પછી,રાજા દુર્યોધન,પોતાના નાના ભાઈઓ સાથે,સર્વ પ્રજાજનોને ધીરેધીરે ધ્યાનમાં આપીને પોતાને આધીન કરવા લાગ્યો.ધૃતરાષ્ટ્રે ગોઠવેલા,કેટલાક કુશળ મંત્રીઓએ,એવી વાત ચલાવી કે-'રમણીય વારણાવત નગરમાં,પાશુપતિનો

અત્યંત રમણીય એવો ઉત્સવ આવ્યો છે,તે રત્નોથી ભરપૂર દેશમાં,માણસોનો મહામેળો થાય છે'

આવી વાતોથી પાંડુપુત્રોએ ત્યાં જવાનો વિચાર કર્યો,ત્યારે તેમની પાસે જઈને ધૃતરાષ્ટ્રે તેમને કહ્યું કે-(1-6)

Apr 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-138

 
અધ્યાય-૧૪૨-દુર્યોધનની મંત્રણા 

II वैशंपायन उवाच II एवं श्रुत्वा तु पुत्रस्य प्रज्ञाचक्षुर्नराधिपः I कणिकस्य च वाक्यानि तानि श्रुत्वा स सर्वशः II १ II

વૈશંપાયન બોલ્યા-પુત્રનું આવું કહેવું સાંભળીને,પ્રજ્ઞાચક્ષુ ધૃતરાષ્ટ્ર રાજાએ,કણિકનાં સર્વ વચનો સંભાર્યા.તે દ્વિધામાં

પડ્યો ને શોક કરવા લાગ્યો.પછી,દુર્યોધને,શકુનિ,કર્ણ-આદિ સાથે મંત્રણા કરી ને તે ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યો કે-

'તમે કોઈ સારી યુક્તિ કરીને પાંડવોને વારણાવત નગરમાં ખસેડી મુકો,તો પછી તેમનો ભય રહેશે નહિ'

પુત્રનું વચન સાંભળીને ધૃતરાષ્ટ્રે થોડીવાર વિચાર કર્યો ને પછી તે દુર્યોધનને કહેવા લાગ્યો કે-(1-5)

Mar 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-137

 
જતુગૃહ પર્વ 

અધ્યાય-૧૪૧-પાંડવો પ્રત્યે દુર્યોધનની ઈર્ષા 

II वैशंपायन उवाच II ततः सुबलपुत्रस्तु राजा दुर्योधनश्चह् I दुःशासनश्च कर्णश्च दुष्टं मंत्रममंत्रयन् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,સુબલપુત્ર શકુનિ,દુર્યોધન,દુઃશાસન અને કર્ણ મળીને દુષ્ટ મંત્રણા કરવા લાગ્યા.

ધૃતરાષ્ટ્રની અનુમતિ લઈને,તેમણે કુંતીના પાંચે પુત્રોને લાક્ષાગૃહમાં બાળી મુકવાનો નિર્ણય કર્યો.

કૌરવોની ચેષ્ટાઓથી,તેમનો ભાવ જાણી જનારા તત્વદર્શી વિદુર,કૌરવોનો વિચાર જાણી ગયા,ને બીજું 

જાણવા જેવું જાણીને,પાંડવોના હિતમાં રહેનારા તે વિદુરે,કુંતીને પુત્રો સાથે નસાડી મુકવાનો વિચાર કર્યો.