May 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-172

 
અધ્યાય-૧૯૧-બલરામ અને શ્રીકૃષ્ણ પાંડવો પાસે 

II वैशंपायन उवाच II 

गत्वा तु तां भार्गव कर्मशालां पार्थो पृथां प्राप्य महानुभावो I तां याज्ञसेनीं परमप्रतीतौ भिक्षत्यथा वेदयतां नराग्र्यौ  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,નરશ્રેષ્ઠ મહાનુભાવ ભીમ અને અર્જુન,એ બે પૃથાનંદનો કુંભારની તે કર્મશાળામાં ગયા અને 

તેમણે પરમપ્રસન્નતાપૂર્વક તે યાજ્ઞસેની દ્રૌપદીના સંબંધમાં 'અમે ભિક્ષા લાવ્યા છીએ' એમ કુંતીને જણાવ્યું.

કુટીમાં બેઠેલી કુંતીએ એ બંને પુત્રોને જોયા વિના જ કહ્યું કે-'તમે સૌ ભેગા મળીને તેનો ઉપયોગ કરજો'

પણ,પછી તેમણે કૃષ્ણાને જોઈ,તો કુંતી બોલી ઉઠી કે-'અરે,મેં તો કષ્ટકારક વચન કહી નાખ્યું' અને અધર્મના ભયથી કુંતી શોક કરવા લાગી.તેણે દ્રૌપદીનો હાથ પકડીને,તેને યુધિષ્ઠિર પાસે લઇ ગઈ.

May 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-171

અધ્યાય-૧૯૦-ભીમ અને અર્જુનનો વિજય 

II वैशंपायन उवाच II अजिनानि विधुन्वन्तः करकांश्च द्विज्जर्पमाः I उचुस्ते भीर्न कर्तव्या वयं योत्स्यामहे परान II १ II

વૈશંપાયન બોલ્યા-ત્યારે,મૃગચર્મ ને કમંડળો વિંઝાતા તે બ્રાહ્મણોએ કહ્યું-'બીશો નહિ અમે શત્રુઓ સામે લડીશું'

તે બ્રાહ્મણોને,અર્જુને જાણે હસતો હોય તેમ કહ્યું કે-'તમે બાજુએ ઉભા રહી માત્ર જોયા કરો.જેમ,ઝેરીલા સર્પોને મંત્રોથી વારવામાં આવે છે,તેમ,હું આ ક્રોધિષ્ઠ રાજાઓને મારા સેંકડો બાણોથી છિન્નભિન્ન કરી નાખીશ'

ને આમ કહીને,તે અર્જુને સ્વયંવરમાં જીતેલું ધનુષ્ય સજાવીને ભીમસેન પાસે આવીને ઉભો રહ્યો.(1-4)

May 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-170

 
અધ્યાય-૧૮૮-અર્જુને કરેલો લક્ષ્યવેધ 

II वैशंपायन उवाच II यदा निवृत्ता राजानो धनुष्यः राज्यकर्मण: I अथोदतिष्ठद्विमाणां मध्याज्जिन्णुरुदार्धी  II १ II

વૈશંપાયન બોલ્યા-જયારે,રાજાઓ ધનુષ્ય સજવાના કાર્યમાં પાછા પડ્યા,ત્યારે ઉદરબુદ્ધિ,જયશીલ અર્જુન,બ્રાહ્મણોની મધ્યમાંથી ઉભો થયો.અર્જુનને જતો જોઈ કેટલાક બ્રાહ્મણો આનંદના પોકાર કરવા લાગ્યા,

તો કેટલાક બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા કે-'જે ધનુષ્ય,શલ્ય-આદિ પ્રમુખ ક્ષત્રિયોથી પણ નમાવી શકાયું નથી,

તેને આ અસ્ત્રવિદ્યામાં અજાણ એવો બટુક કેમ કરીને સજ્જ કરી શકશે? આ કાર્ય માત્ર ચપળતાથી,અહંકારથી,

કે ધૃષ્ટતાથી થઇ શકે તેમ નથી,ને આપણા બ્રાહ્મણોની હાંસી થશે,માટે તેને જતો રોકી રાખો'.(1-7)

May 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-169

 
અધ્યાય-૧૮૬-દ્રૌપદીને રાજાઓની ઓળખ 

II धृष्टध्युम्न उवाच II दुर्योधनो दुर्विपहो दुर्मुखो दुष्पघर्षणः I विविशतिर्विकर्णश्च सहो दुःशासनस्तथा  II १ II

ધૃષ્ટદ્યુમ્ન બોલ્યો-હે દ્રૌપદી,દુર્યોધન,દુર્વિષહ,દુર્મુખ,દુષ્પ્રઘર્ષણ,વિવિંશતિ,વિકર્ણ,દુઃશાસન,યુયુત્સુ,વાયુવેગ,ભીમવેગ,

રવ,ઉગ્રાયુઘ,બલાકી,કરકાયુ,વિરોચન,કુંડક,ચિત્રસેન,સુવર્ચા,કનકધ્વજ,નંદક,બાહુશાલી,તૂહુન્ડ,વિકટ અને બીજા અનેક ધૃતરાષ્ટ્ર પુત્રો સાથે કર્ણ અહીં આવ્યા છે.વળી,બીજા અનેક ક્ષત્રીઓમાં શ્રેષ્ઠ રાજાઓ પણ અહીં આવ્યા છે.

સુબલપુત્ર શકુનિ,તેના ભાઈઓ સાથે આવ્યો છે,અશ્વસ્થામા ને ભોજ,સુવિભૂષિત થઇ તારે માટે આવ્યા છે.

May 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-168

સ્વયંવર પર્વ 

અધ્યાય-૧૮૪-પાંડવો પાંચાલ દેશમાં 

II वैशंपायन उवाच II ततस्ते नरशार्दूला भ्रातरः पंच पाण्डवाः I प्रययुद्रौपदीं द्रष्टुं तं च देशं महोत्सवम्  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,નરોમાં સિંહ સમાન પાંચ પાંડવો,મહોત્સવવા પાંચાલ દેશને અને દ્રૌપદીને જોવાને ચાલ્યા.

માતા સાથે ચાલી રહેલા,તેઓએ માર્ગમાં અનેક બ્રાહ્મણોને એકઠા થઈને જતા જોયા.

તે બ્રાહ્મણોએ પાંડવોને પૂછ્યું કે-'તમે ક્યાં જાઓ છો?ક્યાંથી આવ્યા છો?' (1-3)