II वैशंपायन उवाच II
गत्वा तु तां भार्गव कर्मशालां पार्थो पृथां प्राप्य महानुभावो I तां याज्ञसेनीं परमप्रतीतौ भिक्षत्यथा वेदयतां नराग्र्यौ II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,નરશ્રેષ્ઠ મહાનુભાવ ભીમ અને અર્જુન,એ બે પૃથાનંદનો કુંભારની તે કર્મશાળામાં ગયા અને
તેમણે પરમપ્રસન્નતાપૂર્વક તે યાજ્ઞસેની દ્રૌપદીના સંબંધમાં 'અમે ભિક્ષા લાવ્યા છીએ' એમ કુંતીને જણાવ્યું.
કુટીમાં બેઠેલી કુંતીએ એ બંને પુત્રોને જોયા વિના જ કહ્યું કે-'તમે સૌ ભેગા મળીને તેનો ઉપયોગ કરજો'
પણ,પછી તેમણે કૃષ્ણાને જોઈ,તો કુંતી બોલી ઉઠી કે-'અરે,મેં તો કષ્ટકારક વચન કહી નાખ્યું' અને અધર્મના ભયથી કુંતી શોક કરવા લાગી.તેણે દ્રૌપદીનો હાથ પકડીને,તેને યુધિષ્ઠિર પાસે લઇ ગઈ.