INDEX PAGE |
સ્કંધ પહેલો-૩૩ (ચાલુ)
સુખ કે માથે શિલ પડો, હરિ
હૃદય સે જાય,
બલિહારી વહ દુઃખ કી ,જો પલ
પલ નામ જપાય—જો પલ પલ રામ જપાય.
હનુમાન જી એ રામચંદ્રજી ને
કહ્યું છે-કે-
સીતાજી ને તમારા ધ્યાનમાં (ભજનમાં-સ્મરણમાં)તન્મય
થયેલાં (મેં જોયા) છે-તેથી જ હું કહું છું-કે-સીતાજી(લંકામાં) આનંદ માં છે.
કહ હનુમંત બિપત્તિ પ્રભુ
સોઈ, જબ તવ સુમિરન ભજન ના હોઈ.
(જયારે તમારું ભજન-સ્મરણ ન
થાય ત્યારે જ સાચી વિપત્તિ આવી છે એમ સમજવું–એવું હનુમાનજી કહે છે)
મનુષ્ય ને બહુ સુખ મળે તો
તે પ્રમાદી થાય છે. અને ભાન ભૂલે છે.
એક શેઠ હતા. પહેલાં લાલાજી ની
સેવા જાતે કરતા. પણ સટ્ટામાં,સારા નસીબે જોર કર્યું ,અને વીસ લાખ રૂપિયા મળ્યા.
તે પછી શેઠે –લાલાજી ની
સેવા કરવા નોકર રાખ્યો છે.
કુંતાજી –શ્રીકૃષ્ણને કહે છે-કે-મને એવું દુઃખ મળે કે-જે-દુઃખ માં
હું તમને યાદ કરું.મારે માથે વિપત્તિઓ આવે-કે-જેથી-તમારાં
ચરણ નો આશ્રય કરવાની ભાવના
જાગે,(દાસ્ય-ભાવ જાગે-કે- જેનાથી –દીનતા આવે –સુખ નું અભિમાન માથે ના ચડે)
દુનિયાના મહાન પુરુષોને –પહેલાં
દુઃખ ના પ્રસંગો આવ્યા છે. જેને જેને પરમાત્મા મળ્યા છે-તે અતિ દુઃખ માં મળ્યા છે.
અતિ સુખ માં પરમાત્મા સાથ
આપતા નથી. સુખ માં સાથ આપે તે જીવ-અને દુઃખ માં સાથ આપે તે ઈશ્વર.
જે જીવ ને-પરમાત્મા -પાપ ને
માટે-સજા કરે છે (દુઃખ આપીને),તેની ગુપ્ત રીતે રક્ષા પણ કરે છે.
ચાર પ્રકારના મદ(અભિમાન) થી
મનુષ્ય ભાન ભૂલે છે. વિદ્યામદ-જુવાની નો મદ-દ્રવ્ય મદ-અધિકાર મદ.
બહુ ભણેલા (વિદ્યા વાળા) ને
બહુ અભિમાન (મદ) આવે છે. તે કથામાં આવતા નથી. અને આવે તો અક્કડ બેસે છે.
શ્રદ્ધા થી કથા સાંભળતા નથી.(બહુ વાંચી નાખ્યું છે!!). કિર્તન માં
તાળી પાડતાં શરમ આવે છે.(વિચારે-અભણ મુર્ખાઓ તાળી પાડે!!)
પણ ઘેર બાળક રડે-તો-તાળીઓ
પાડવા મંડી જાય છે-ત્યારે ભૂલી જાય છે- કે –હું બહુ ભણેલો છુ. તે વખતે શરમ આવતી
નથી.
(જીભ થી-રડતા બાળક
સમક્ષ-આ,આ,આ,-ઊ,ઊ,ઊ,-મોટે અવાજે બોલે છે ) કથામાં મોટે અવાજે નામ સ્મરણ બોલતાં-કરતાં શરમ
આવે છે. આવા વિદ્યાભિમાની ની
જીભ ને-હાથને –પાપ પકડી રાખે છે-“તું કિર્તન કરીશ તો અમારે બહાર નીકળવું પડશે”
એવું ભણતર(વિદ્યા-જ્ઞાન) શા
કામનું? કે જેથી ભક્તિ કરતાં સંકોચ થાય? ભણતર તો એવું હોવું જોઈએ કે-પ્રભુમાં
પ્રેમ થાય.
શ્રદ્ધા થાય-ધર્મ માં વિશ્વાસ થાય.
ભગવાને કહ્યું છે “ચાર
પ્રકારના મદ થી જીવ ઉન્મત્ત બને છે,અને મારું અપમાન કરે છે”
મહાભારત માં કહ્યું
છે-કે-સર્વ પ્રકારના રોગ નો જન્મ મદ માં થી થયો છે.
માટે દીન બની (અભિમાન-મદ
ત્યજી) પ્રભુની પ્રાર્થના-સ્તુતિ કરો. એમના ઉપકારો નું સ્મરણ કરો.
કુંતાજી દીન બની સ્તુતિ કરે
છે-
તમારાં જન્મ નું પ્રયોજન
ઘણી રીતે બતાવવામાં આવે છે. પરંતુ મને લાગે છે કે-દુષ્ટો નો વિનાશ કરવો –એ તમારાં
જન્મ નું પ્રધાન
કાર્ય નથી. પરંતુ-તમારાં
ભક્તો ને –પ્રેમ નું દાન કરવા તમે આવ્યા છો.
મને વસુદેવજીએ (કુંતાજી ના
ભાઈ) કહેલું કે-“કંસ ના ભય થી હું ગોકુળમાં જઈ શકતો નથી,તમે ગોકુલ માં જઈ લાલાજી
ના દર્શન
કરજો.” તેથી -તમે નાના
હતા,ગોકુલ માં બાળલીલા કરતા હતા ત્યારે તમને જોવા-તમારાં દર્શન કરવા હું ગોકુલ માં આવેલી .
તે તમારું બાળ-સ્વરૂપ હજુ
ભૂલાતું નથી. જે દિવસે હું ગોકુલ આવેલી –તે દિવસે –યશોદાજી એ તમને ખાંડણિયા જોડે
બાંધેલા હતા.
હું તો યશોદાજી ના ચરણ માં
વંદન કરું છું. યશોદાજી જેવો પ્રેમ (વાત્સલ્ય-પુષ્ટિ ભક્તિ) મારાં માં ક્યાં છે ?(કુંતા
ની મર્યાદા ભક્તિ છે)
યશોદાજી એ પ્રેમ થી તમને
બાંધ્યા હતા-તેની જે-ઝાંખી મને થઇ છે-તે હજુ ભુલાતી નથી.
કાળ પણ જેનાથી કાંપે છે-તે
કાળ ના કાળ –લાલાજી-યશોદાજી પાસે થર થર કાંપતા હતા.(આ- ની કલ્પના થી ઝાંખી કરવી
જોઈએ?)
મર્યાદા-ભક્તિ (કુંતા)-આ
પ્રમાણે પુષ્ટિ-ભક્તિ (યશોદા) ના વખાણ કરે છે.
પ્રેમથી ભગવાન બંધાય
છે,બંધન માં આવે છે.
(ગોકુલ છોડતી વખતે-કૃષ્ણે-યશોદા
ને કહેલું-કે બધું ભૂલીશ-પણ ખાંડણીએ બાંધેલો તે નહિ ભૂલું!!!)
પ્રેમ નું બંધન ભગવાન ભૂલી
શકતા નથી.
સગુણ બ્રહ્મ (લાલાજી ના
દર્શન) નો સાક્ષાત્કાર થયા પછી-પણ સંસાર માં –આસક્તિ રહી જાય છે.
“સ્વજનો ની સાથે જોડાયેલી –સ્નેહ-ની
ફાંસી ને આપ કાપી નાખો (સ્નેહપાશમિમ છિંધિ)”-આ શ્લોક થી તે સિદ્ધ થાય છે.
સગુણ અને નિર્ગુણ –બંને નું
આરાધન કરે-તેની ભક્તિ-સિદ્ધ થાય છે.
(સગુણ=લાલાજી નું સ્વરૂપ=દ્વૈત=હું
ને મારા લાલાજી =બંને જુદા છે =આત્મા અને પરમાત્મા
નિર્ગુણ=નિરાકાર સ્વરૂપ=અદ્વૈત=હું જ લાલાજી
છું=બંને એક થઇ જાય છે.=આત્મા અને પરમાત્મા એક થઇ જાય છે.