Jan 21, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-729

(૭૨) બાકીના પાંચ પ્રશ્નોના ઉત્તર
રાજા કહે છે કે-હે વેતાળ,જેમ પુષ્પમાં સુગંધ સ્ફુરે છે,તેમ પરમાત્મા-રૂપી-મોટા પવનમાં કાળની,આકાશની,સમષ્ટિ પ્રાણની,અને જીવની સત્તા-આદિ સુક્ષ્મ અને ચંચલ,રજો સ્ફૂર્યા કરે છે.કાળ,આકાશ,પ્રાણ,જીવ આદિ મોટાં આકાશો-પોતાની સત્તા વગરનાં છે પણ  પરમાત્માની સત્તાથી સત્તા-વાળાં છે.

Jan 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-728

જેમાં એવી એવી હજારો "શાખા"ઓ છે-એવું અને નજરે પડે નહિ એવું અને-
અનંત શાખાઓના સમુદાય-વાળું,એક મોટું "વૃક્ષ" (ગંધ તન્માત્રા) છે.
જે અનંત વૃક્ષોના સમુદાય જેમાં આવેલા છે-તેવું અત્યંત મોટું "વન" (રસ-તન્માત્રા) છે.
જેમાં અનંત વનો છે-એવો સર્વત્ર ભૂરા આકારનો એક મોટો "પર્વત" (રૂપ-તન્માત્રા) છે.
જેમાં અનંત પર્વતો છે એવો અને મોટી મોટી કોતરો વાળો વિશાલ "દેશ" (સ્પર્શ-તન્માત્રા) છે.
જેમાં અનંત દેશો છે એવો અને એક નદીઓથી ભરપૂર મોટો "દ્વીપ" (શબ્દ-તન્માત્રા) છે.