તેથી તેના કાર્ય-રૂપે જણાતું આ નામરૂપવાળું જગત થયું જ નથી.
માટે શુદ્ધ આકાશના જેવું બ્રહ્મ જ (કે જે તમારું સ્વરૂપ પણ છે તે જ) સત્તા-રૂપે સર્વત્ર રહેલ છે,
આથી તમે એવી જ (એ બ્રહ્મની જ) ભાવના રાખો.એ બ્રહ્મ જ અજ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં જગતના આકારે ફેલાઈ રહેલું દેખાય છે (તેને જગત જ દેખાય છે) અને જ્ઞાનીને જગત,નિર્વિકાર સત્ય-બ્રહ્મ,આકારે ભાસે છે.