May 26, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-812

વસિષ્ઠ કહે છે કે-રાજાનું આ વચન સાંભળીને,કુંભમુનિએ,ખેદથી કંઠ રૂંધાયો હોય તેવી,ગદગદ વાણીથી કહ્યું કે-જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી,સમાન ચિત્ત રાખી,હર્ષ-શોક વગેરે કોઈ પણ વિકાર ના પામતાં,જેઓ કર્મેન્દ્રિયોથી વ્યવહાર કરતા રહેતા નથી-તેઓ ખરેખર તત્વજ્ઞ નથી,પણ "દંભી" હોવાથી શઠ જ છે.હે રાજા,જેઓ તત્વને ના જાણવાથી અજ્ઞાનમાં જ ડૂબેલા રહે છે,તેઓ પોતાની બાળ-બુદ્ધિને લીધે,સ્વભાવથી જ દેહના યોગે ગ્રહણ કરાયેલી અવસ્થાઓથી ભયભીત થઈને નાસવા માંડે છે.

May 5, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-811

તેઓ સાથે જ પૂજન કરતા,ભોજન લેતા અને બંનેની બુદ્ધિ સમાન હતી,તેથી પરસ્પર મિત્ર બની શોભતા હતા.
એ રીતે બંનેના કેટલાક દિવસો કોઈ વાસના વગર અને સમાન ચિત્ત-વાળા થઈને વીતવાથી,રાજા શિખીધ્વજ પણ કુંભમુનિના જેવો જ શોભવા લાગ્યો.
ત્યારે તે શિખીધ્વજ રાજાને દેવપુત્ર જેવો મનોહર શોભાવાળો જોઈ ચૂડાલાએ મનમાં વિચાર કર્યો કે-મારો પતિ સુશોભિત અંગવાળો અને ઉદાર દિલનો છે અને આ વનભૂમિઓ પણ બહુ રમણીય છે,આવી સ્થિતિ અનાયાસે પ્રાપ્ત થાય, તો એવી કોણ સ્ત્રી હોય કે,આવા સમયે કામ વડે છેતરાય નહિ?