Jul 14, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1206

જેમ,ચૈતન્ય-પરમાત્મા પ્રતીતિમાં આવતો નથી (નરી આંખે દેખાતો નથી) પણ ચૈતન્ય-આત્મા-વાળો પુરુષ
કેશ-નખ-આદિ જડ-ભાગ વડે પ્રતીતિમાં આવે છે (નરી આંખે દેખાય છે) તેમ,આ જગત (દૃશ્ય) પણ
ચિદ-અંશ અને જડ અંશ-એ બંને વડે યુક્ત છે.તેમાં કલ્પના અને કલ્પનાનો અભાવ-એ બંને રહેલાં છે.
પણ સ્વ-ભાવ-સિદ્ધ-તાત્વિક-દૃષ્ટિ વડે જોતાં તે સર્વ બ્રહ્મ(ચૈતન્ય)-રૂપ જ છે.
એટલે કે વિના-કારણે પદાર્થોની સ્થિતિ અને કારણ-પૂર્વક પદાર્થોની સ્થિતિ-એ બંને બ્રહ્મની અંદર રહેલ છે.
કેમ કે બ્રહ્મ,પોતે સર્વ-શક્તિમાન છે.

Jul 11, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1205

તે 'વિરાટ' અપરિચ્છીન્ન (અમર્યાદિત) હતો,વિસ્તીર્ણ હતો,અનેક પ્રાણીઓ વડે યુક્ત હતો,
અનેક પ્રકારના સ્થાવર-જંગમ જીવો-વાળો હતો,કલ્પના ને કાળ વડે સંયુક્ત હતો
અને કલ્પિત એવા અન્યોન્ય સમાગમ વડે યુક્ત હતો.
વસ્તુતઃ જોતાં તો (આગળ કહ્યું તે પ્રમાણે)એ ચિદાકાશનો 'પરમાણુ' અને 'વિરાટ' એ બંનેનું સ્વરૂપ ચિદાકાશ
જ છે.પ્રત્યેક જીવ સ્વપ્નમાં,દૃષ્ટા-દૃશ્ય-દર્શન,ભોક્તા-ભોગ્ય-ભોગ અને કર્તા-કાર્ય-ક્રિયા-એ ત્રણ ત્રિપુટીથી
મનોહર ત્રૈલોક્ય-નગરને,હૃદયની અંદર જાણે,અરીસામાં પ્રતિબિમ્બિત થઇ રહેલું હોય તેમ દેખે છે.

Jul 10, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1204

(૧૭૬) ચિદાકાશના પરમાણુમાં બ્રહ્માંડ ભાસે છે

રામ કહે છે કે-હે મહારાજ,અસંખ્ય જગતો હમણાં વિદ્યમાન (દેખાય) છે,અસંખ્ય જગતો હવે પછી થશે અને
અસંખ્ય જગતો થઇ ગયેલાં છે તો તે જગતોની કથા વડે આપ શો અને શા માટે બોધ કરો છો?

વસિષ્ઠ કહે છે કે-જગત-રૂપી સ્વપ્નોની અંદર શબ્દ અને તે શબ્દના અર્થનો જે સંબંધ છે-
તે અતીત,વર્તમાન-આદિના દૃષ્ટાંત વિના બરાબર તમારા સમજવામાં આવે નહિ,તેમ જ અહીં શ્રવણના
અધિકારી થયેલા પુરુષોને પણ તે બરાબર સમજાય નહિ,તેથી મારું (આ રીતે) કહેવું તે વ્યર્થ નથી.
જે કથા વાચ્ય-વાચક-ભાવરૂપે નિશ્ચિત થયેલા અર્થ અને શબ્દ વડે કહેવામાં આવે-તે જ અંદર સમજણમાં
ઉતરે છે,બાકી બીજી રીતે કથા સમજાતી નથી કે વ્યવહાર-ઉપયોગી થતી નથી.