Feb 1, 2013

પરમ શાંતિ ક્યાં છે ?





ગીતા ૪-૩૯ મુજબ

જિતેન્દ્રિય,
તત્પર થયેલો ,
શ્રધ્ધાવાન (પુરૂષ)
જ્ઞાન ને પ્રાપ્ત થઇ
તત્ક્ષણ(તરત જ )
પરમ શાંતિ ને પ્રાપ્ત કરે છે .

------------------------------------------------------------------
ઉદાહરણ તરીકે જ્ઞાનેશ્વર કહે છે

નાની તલાવડી માં જયારે તરંગો હોય છે ત્યારે
ચંદ્ર કે સૂર્યનું પ્રતિબિંબ સ્પષ્ટ નથી હોતું ,
જયારે તરંગો
"શાંત "
થાય છે ત્યારે તે સ્પષ્ટ થાય છે .

----------------------------------------------------------------
અશાંતિ એ તરંગો છે
આ તરંગો આવે છે ક્યોંથી?

૧ -ઇન્દ્રીયોની વિષયો ભોગવવાની લોલુપતા થી
૨ -અશ્રધ્ધા થી
૩- અજ્ઞાન થી
૪-કામના થી
૫-મમતા (મોહ ) થી
૬- અહંકાર થી
૭-આશક્તિ થી

જો આ તરંગો બંધ થાય તો શાંતિ પ્રાપ્ત થાય .