Dec 17, 2011

ભાગવત-૧


ભાગવત કથા(ભાગવત રહસ્ય)

વક્તા–સંત શ્રી ડોંગરેજી મહારાજ

ઈન્ટરનેટ પર-પ્રસ્તૂતકર્તા-અનિલ શુક્લ   નવી શ્રેણી નું લખાણ .....


.................................................................................................
ચતુશ્ર્લોકી (ચાર શ્ર્લોક નું) ભાગવત (૨/૯/૩૨,૩૩,૩૪,૩૫ )


૧-
---સૃષ્ટિ ના પહેલાં કેવળ હું(બ્રહ્મ)જ હતો 
      (હુ જ હતો..એટલે કે તે વખતે હું બીજું કશું કંઇ કરતો નહોતો ,માયા અંતર મુખ પણે મારામાં લીન હતી )                                                       
---સૃષ્ટિ પછી પણ હું જ રહું છું. (પ્રલય પછી જે બાકી રહે છે તે)
---સૃષ્ટિ જે હાલ (જગત) દેખાય છે તે હું જ છું.


ટુંક માં ત્રણે કાળ -ભૂત-ભવિષ્ય -અને વર્તમાન માં મારી સત્તા (હોવા પણું )વ્યાપક છે.............( ૨/૯/૩૨ )


.
---”માયા  “ ને લીધે, મારું “આત્મા" રૂપ “અંશ “ પણું (આશ્રય પણું ) દેખાતું નથી.
---જેવી રીતે  શરીર ના ધર્મો જ દેખાય છે.પણ ખરી રીતે તે નથી.........................................(૨/૯/૩૩)


     [નોધ - શરીર ના ધર્મો------- દેહ ધર્મ -(દુબળા-જાડા પણું ),ઇન્દ્રિય ધર્મ -( બહેરા -કાણા પણું ),
                                                  પ્રાણ ધર્મ-(ભુખ-તરસ ),અંતઃકરણ ધર્મ -(સુખ-દુઃખ)] 


૩.
---જેમ પંચમહાભૂતો પ્રત્યેક ‘ભૌતિક પદાર્થ'  માં સૃષ્ટિ ની પછી 
    -દાખલ થયેલા છે અને ….........( જે દેખાય  છે)
    -દાખલ થયેલા પણ નથી …......( સૃષ્ટિ ની પૂર્વે “ કારણ “ રૂપે ત્યાં રહેલા જ છે )
---તેમ ‘હું' પણ તે મહાભૂતો અને ભૌતિક પદાર્થો માં 


    -રહ્યો છું  અને 
    -નથી પણ રહ્યો ….....................................................................................................(૨/૯/૩૪ )


૪.
---આવી મારી   “ સર્વત્ર “ સ્થિતિ છે.
---આત્મા -નું તાત્વિક સ્વરૂપ  જાણવા ઇચ્છતા પુરુષે માત્ર એટલું જ જાણવાનું બસ છે કે -
    -જે વસ્તુ 
    -અન્વય  ( આત્મા નું ભાન થવું -તે-અન્વય )(આ બ્રહ્મ છે-આ બ્રહમ છે )
      અને 
   -અતિરેક  ( આત્મા નું ભાન થવાથી -દેહ નું વિસ્મરણ થવું તે-અતિરેક )(આ બ્રહ્મ  નથી-આ બ્રહ્મ નથી )
       થી 
   -સર્વ સ્થળે
   -સર્વદા છે 
   -તે 
   -” આત્મા “ છે. …............................................................................................( ૨/૯/૩૫ )






ભાગવત -૨