સ્કંધ પહેલો-૨૬ (ચાલુ)
વ્યાસજી –એ –સમાજ સુધારક
સંત છે. જે સંત ને સમાજ સુધરે તેવી ભાવના
છે-તેને સમાજ નુ થોડું ચિંતન કરવું પડે છે.
ભક્તિ માં –આ-વિઘ્ન કરે છે.
વ્યાસજી –બધાં પરમાત્મા ને
શરણે જાય-બધાં સુખી થાય એવી ભાવનાથી કથા કરે છે. એટલે તેમને મધ્યમ વક્તા કહ્યા છે.
શુકદેવજી ની કથા થી ઘણાં ના
જીવન સુધરે છે. પણ શુકદેવજી માનતા નથી કે હું કોઈનું જીવન સુધારું છુ. શુકદેવજી ને
કથા કરતી
વખતે ખબરે ય નથી કે સામે
કથા માં કોણ બેઠું છે. જ્ઞાન-ભક્તિ-વૈરાગ્ય થી પરિપૂર્ણ –બ્રહ્મ જ્ઞાની અને બ્રહ્મ
દૃષ્ટિ વાળા શુકદેવજી ને
ઉત્તમ વક્તા કહ્યા છે.
સમષ્ટિ (જગત) હવે સુધરે-તેમ
લાગતું નથી. હા-કદાચ વ્યક્તિ સુધરી શકે. વિષય વાસના થી
જેનું મન ભરેલું છે-તે સમાજ ને સુધારી
શકે નહિ. આપણા જેવા સામાન્ય
મનુષ્યો-સમાજ ને સુધારી શકે નહિ.(કોઈ પ્રચંડ વ્યક્તિત્વ –ક્યારેક આવી જાય-તો તે
સુધારે)
આજકાલ –લોકો ને સમાજ
સુધારવાની બહુ ઈચ્છા થાય છે-કહે-છે-કે-અમે બીજા ને લાભ આપીએ છીએ.
અરે-ભાઈ-તું તારું જ
સુધારને-તારી જાત ને જ લાભ કર ને- ઘરનાં લોકો ને સુધારી શક્યો નહિ-તે સમાજ શું
સુધારી શકવાનો ?
મનુષ્ય પોતાના મન ને
સુધારે-પોતાની આંખને સુધારે -ઘરનાં લોકો ને સુધારે તો પણ ઘણું છે.---
વળી-સમાજ ને સુધારવાની
ઈચ્છા-અનેકવાર-પ્રભુ ભજન-પ્રભુ મિલન મા બાધક થાય છે. બીજા ને સુધારવાની ભાવના –પ્રભુ
મિલન માં
વિઘ્ન કરે છે.માટે બીજાને
સુધારવાની ભાંજગડ માં પડવા જેવું નથી.
તમે તમારુ સુધારજો-સમાજ
ને સુધારવા –પરમાત્મા સંત ને મોકલી આપે છે.
બોલવામાં-(શબ્દ માં) –ત્યાગ
વગર –શક્તિ-(અસરકારકતા) આવતી નથી.
કહેણી અને કરણી એક ના હોય
ત્યાં સુધી-વાણી અને વર્તન એક ના હોય ત્યાં સુધી –શબ્દ માં શક્તિ આવતી નથી.
રામદાસ સ્વામી એ કહ્યું છે
કે-મેં કર્યું છે-મેં અનુભવ્યું છે-અને પછી હું તમને કહું છુ.
વાણી અને વર્તન એક હોય-તે
ઉત્તમ વક્તા છે. શુકદેવજી જે બોલ્યા છે-તે જીવન મા ઉતારી ને બોલ્યા છે. આવી
વ્યક્તિ વંદનીય છે.
એક વખત-એકનાથ મહારાજ પાસે
એક બાઈ તેનો પુત્ર લઇ ને આવી-અને મહારાજ ને કહે છે કે-
“મહારાજ-આ મારા પુત્ર ને
મોસાળ માં જઈ ને આવ્યા પછી-ગોળ ખાવાની બહુ ટેવ પડી ગઈ છે. હું ગરીબ ઘરની છું. રોજ
ગોળ ક્યાંથી
લાવું ? તે બહુ હઠ કરે છે.
ગોળ ખાવાનું છોડતો નથી. તે ગોળ ખાવાનું છોડી દે તેવો આશીર્વાદ આપો.”
સંતો પાસે શું માગવું તેનો
પણ ઘણાને વિવેક હોતો નથી. આ બાઈએ સંત પાસે એમ ના માગ્યું –કે મારો દીકરો તમારા
જેવો
ભગવદ ભક્ત થાય !! ઘણાં સંત
પાસે જઈ કહે છે-કે મારી ભેંસ દૂધ નથી આપતી-તો તે દૂધ આપે તેવા આશીર્વાદ આપો !!!
એકનાથ મહારાજે વિચાર્યું-“હું
જ ગોળ ખાઉં છું-મારો આશીર્વાદ ફળશે નહિ.” મહારાજે બાઈ ને કહ્યું કે “થોડા દિવસ
પછી-તમારા પુત્રને
લઇ ને પાછા આવજો-તે વખતે
હું તેને આશીર્વાદ આપીશ –આજે નહિ”
તેઓ એ ગોળ ખાવાનું ત્યારથી
છોડ્યું.જીવન ના અંત સુધી –ગોળ નહિ ખાવાની પ્રતિજ્ઞા કરી.
થોડા દિવસ પછી બાઈ પોતાન
પુત્ર ને લઈને આવી. મહારાજે તે વખતે બાળક ને આશીર્વાદ આપ્યો-
“બેટા,બહુ ગોળ ખાવો સારો
નહિ.તું ગોળ ખાવાનો છોડી દેજે” પેલી બાઈ ને આશ્ચર્ય થયું-કે આટલી વાત કહેવા
મહારાજે –સાત દિવસ
લીધા ? તેણે મહારાજને
પૂછ્યું-“હું પહેલી વખત આવી ત્યારે કેમ આશીર્વાદ ના આપ્યા ?”
મહારાજે કહ્યું-“મા- હું પોતે
જ –તે વખતે ગોળ ખાતો હતો એટલે મારાથી તેવો આશીર્વાદ કેમ આપી શકાય ? મેં હવે ગોળ
ખાવાનો
છોડી દીધો છે.એટલે હવે મારો
આશીર્વાદ ફળશે” અને સાચે જ મહારાજ નો આશીર્વાદ ફળ્યો.
ત્યાગ થી અલૌકિક શક્તિ આવે
છે. વિષય આપણને છોડીને જાય તો દુઃખ થાય છે. પણ આપણે જાતે-સમજી ને –વિષયોને છોડીએ-
તો આનંદ આવે છે.
જ્ઞાન ,ભક્તિ અને વૈરાગ્ય –જેના
મા પરિપૂર્ણ હોય તે-જ-પ્રભુ નાં દર્શન કરી શકે અને બીજા ને કરાવી શકે.
શુકદેવજી માં આ ત્રણે
પરિપૂર્ણ છે, તેથી-જ-પરીક્ષિત ને સાત દિવસ મા પ્રભુ નાં દર્શન કરાવ્યા છે.
સમાજ નુ આકર્ષણ કરવું તે તો
એક કળા છે. હજારો શ્રોતાઓ –કથા સાંભળવા આવે –તેથી-કોઈ ઉત્તમ વક્તા બની જતાં નથી.
વક્તા માં શુકદેવજી જેવો –પૂર્ણ
વૈરાગ્ય હોવો જરૂરી છે.
મહાપ્રભુજીએ કહ્યું
છે-કે-ભાગવત માં સમાધિ ભાષા મુખ્ય છે.
ઈશ્વરના ધ્યાન માં જેને થોડો પણ આનંદ આવે-તેને –ભાગવત નો અર્થ
જલ્દી સમજાય છે.
વ્યાસજી એક -એક એક લીલા ના
પ્રત્યક્ષ દર્શન કર્યા છે. અંતર્દૃષ્ટિ થી આ બધું જોયું છે.
ભગવાન નું સ્વરૂપ અલૌકિક છે.
આપણી આંખો લૌકિક છે. લૌકિક આંખો –અલૌકિક ઈશ્વરને જોઈ શકે નહિ.
બહારની આંખ બંધ કર્યા
પછી-અંતરની આંખ ખુલે-ત્યારે –પરમાત્મા ના દર્શન થાય છે.
(ગીતામાં પણ ભગવાન અર્જુન
ને કહે છે કે-મારું સ્વરૂપ તું આ સ્થૂળ ચક્ષુ થી જોઈ શકીશ નહિ,માટે હું તને દિવ્ય
ચક્ષુ- દિવ્ય દૃષ્ટિ-આપું છુ.તેના વડે તું મારું અવિનાશી,વિશ્વરૂપ,વિરાટ રૂપ ને જો
--ગીતા-૧૧-૮)