Mar 1, 2024

શરણાગત-By અનિલ શુક્લ

 


યાદોને કરી વિદાય,'યાદ' શબ્દ પણ નથી રહ્યો,

શ્વાસ હવે તો તારા શ્વાસથી અલગ નથી રહ્યો.


ભૂસકો માર્યો તારા પ્રવાહમાં,પ્રવાહ સંગ વહું,

ભલે અસંગ તું,પણ  તુજ સંગે જ હું નાચી રહ્યો.


નથી નામ કોઈ એવા એના રંગમાં રંગાઈ ગયો,

નથી કોઈ વળાંક રહ્યા,રસ્તે સીધા ચાલી રહ્યો


ધડકનનું બંધન ધડકનને,નાદ અનહત ગાજી રહ્યો,

શરણાગત થયો,બન્યો એક,તો કાનમાં ગુંજી રહ્યો.


અનિલ

23,જાન્યુઆરી-2021



comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com