Apr 11, 2024

વૈરાગી-By અનિલ શુક્લ

 

વખ બન્યાં છે કામ સંસારનાં,વૈરાગી બની ગયું છે મન,
લય લાગી અનંતની,કૃષ્ણ આકાશ તો હું બન્યો પવન.

મસ્તી અનંતની,કદી સ્થિર,તો કદી પ્રારબ્ધથી અસ્થિર,
રૂપ અનિલનું ધરી વહુ  છું,અનિલ સંગ,બનીને હું ધીર.

"હું" નથી રહ્યો "હું" તો શું કહી શકું? મારા વિષે હું?
અનુભવી લો,બાકી હાથમાં આવી શકીશ નહિ હું.

અનિલ
૨૩,જુલાઈ-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com