Apr 23, 2024

પરમ-પદ-By અનિલ શુક્લ

 

અનુભવ્યાં દૃશ્યો અનેક,ને જોયા રંગ પણ જગતના અનેક,
સમયનાં પડ ચડી ગયા હતા  ને રંગ પણ જામ્યા 'તા અનેક.

હસ્યું હતું હૃદય,એ સુખની પળે ને રડ્યું યે હતું દુઃખની પળે,
ખીલી હતી લતા કુસુમથી,સુકાઈ ને તે હવે દેખાય ના,ખરે.

ના જાણે કેટલા અવતાર ધરી લીધા એક હૃદયે,હૃદય ધરી,
વિચારતાં તે વિચારની,શું કહું? શરમ હવે આવે છે ઘણી.

પડી શિલા વિવેકની,તૂટ્યા સમયના પડો ને રંગ ના થરો,
ખીલી ઉઠ્યું છે ચમન,થયો સુગંધિત,પવન,હવે,ખરે ખરો.

શાંત,શુદ્ધ,નાદ-મય,થયું હૃદય,તો શાને મરણથી ડરવું?
વરવું પરમ-પદને જ છે,તો જગતનું ધ્યાન હવે શું કરવું?

અનિલ
૨૩ જુલાઈ,૨૦૧૬