Apr 8, 2024

શિવોહમ-By અનિલ શુક્લ

 

નથી રહી મંઝીલ,ખુદથી ખુદ જ બની ગઈ મંઝીલ,
"હું" ગયું તો ગયું જગત,કોણ કોને ઓળખી શકે ?

નથી રહ્યો આયનો સામે,ખુદ આયનો બની ગયો,
પ્રતિબિંબ તેનું પડ્યું,તો તે જ ખુદને ઓળખી ગયો.

બાળીને "હું"ને,લગાવી ભભૂતિ તો જોગી બની ગયો,
ના રહ્યા સંશયો,ઝલક થઇ,ને ખુદ બ્રહ્મ બની ગયો.

અનિલ શુક્લ
૨૫ ઓક્ટોબર-૨૦૧૭

comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com