May 4, 2024

કલમથી-By અનિલ શુક્લ

 

નથી ચંચળતા કે નથી અસ્થિરતા,તો પછી આ સ્તબ્ધતા કેવી?
નથી શક્ય કોઈ હલન-ચલન,સમય પણ જાણે થંભી ગયો લાગે.

રંગો, રંગબેરંગી ફૂલોના થયા અદૃશ્ય,ને એક-રંગી ફૂલો લાગે,
લાલમ-લાલ થઈ ગયું,બધું,લાલો ને લાલ પણ લાલ જ લાગે.

વહી જ્યાં સૂરાવલી બંસરીની,કાન્હા ની નાની સુગંધી ફૂંક થી,
થઈ ગયો ન્યાલ,એ અનિલ,બની સુગંધી,સ્થિરત્વને પામ્યો લાગે.

દિવાલોની અંદર બેસીને પવન ખોળે દુનિયા ના સુખિયાઓને,
ના મળ્યું કોઈ તો, પરમાનંદી અનિલ,કલમથી કંઈ કહેતો લાગે.

અનિલ
જુલાઈ,૧૭,૨૦૧૫