Mar 22, 2024
મસ્તી-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-463
અધ્યાય-૧૭૫-દિવ્ય અસ્ત્રોનાં દર્શન
II वैशंपायन उवाच II तस्यां रात्र्यां व्यतीतायां धर्मराजो युधिष्ठिरः I उत्थायावश्यकार्याणि कृतवान्भ्रात्रुभिः सह II १ II
વૈશંપાયન બોલ્યા-તે રાત વીતી ગઈ,એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે,પોતાના ભાઈઓ સાથે આવશ્યક કર્મો કરીને અર્જુનને તે દિવ્ય એસ્ટ્રો બતાવવાનું કહ્યું.ત્યારે તે અર્જુને તે દિવ્ય અસ્ત્રો બતાવતા પહેલાં સ્નાનાદિથી પવિત્ર થઈને મનથી કલ્પેલા પૃથ્વીરૂપી રથમાં તે બેઠો.તેને દિવ્ય કવચ પહેર્યું,ને ગાંડીવ ને દેવદત્ત શંખ હાથમાં લીધા.ને અનુક્રમે દિવ્ય અસ્ત્રો બતાવવા લાગ્યો.હવે તેણે તે અસ્ત્રોનો પ્રયોગ કર્યો ત્યારે પૃથ્વી ડોલી ઉઠી,સરિતાઓ ને સાગરો ખળભળી ઉઠ્યા,પર્વતો ચિરાવા લાગ્યા,વાયુ થંભી ગયો ને અગ્નિ બળતો અટકી ગયો.(9)
Mar 21, 2024
લોકો-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-462
અધ્યાય-૧૭૪-અસ્ત્રદર્શનનો સંકેત
II अर्जुन उवाच II ततो मामतिविश्वस्तं संरूढशरविक्षतं I देवराजो विगृहेदं काले वचनमब्रवीत II १ II
અર્જુન બોલ્યો-પછી,સમય આવતાં શત્રુઓને જીતવામાં વિશ્વાસપાત્ર પણ બાણોથી ઘાયલ થયેલા
એવા મને,દેવરાજે કહ્યું કે-'હે ભારત,તારી પાસે હવે સર્વ દિવ્ય અસ્ત્રો છે,જેથી પૃથ્વી પરનો
કોઈ મનુષ્ય તને પરાજય આપી શકે તેમ નથી.હે પુત્ર,તું સંગ્રામમાં ઉભો હોઈશ ત્યારે
ભીષ્મ,દ્રોણ,કૃપ,કર્ણ,અને બીજાઓ તારી સોળમા ભાગની કલાની પણ તોલે આવશે નહિ'
Mar 20, 2024
સંબંધ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-461
અધ્યાય-૧૭૩-હિરણ્યપુરના દૈત્યોનો વધ
II अर्जुन उवाच II निवर्तमानेन मया महदद्दष्टं ततोSपरम् I पुरं कामचरं दिव्यं पावकार्कसमप्रभम् II १ II
અર્જુન બોલ્યો-ત્યાંથી પાછા ફરતી વખતે એક બીજું નગર મારા જોવામાં આવ્યું.તે ઈચ્છાગતિવાળું ને સૂર્ય જેવા પ્રભાવવાળું હતું.તેમાં રત્નનાં વૃક્ષો ને મધુર સ્વરવાળાં પક્ષીઓ હતા,ને ત્યાં પૌલોમ અને કાલકંજ નામે દાનવો
નિત્ય વાસ કરતા હતા.તેમાં સહેલાઈથી પ્રવેશી શકાય તેમ નહોતું.શૂલ,મુશળ,ધનુષ્ય આદિ આયુધોને ધારણ
કરેલા અસુરો તે નગરને ચારે બાજુ વીંટી રહ્યા હતા,ત્યારે માતલિને તે સ્થાન વિષે પૂછ્યું.
Mar 19, 2024
પ્રારબ્ધ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-460
અધ્યાય-૧૭૧-માયાવી યુદ્ધ
II अर्जुन उवाच II ततोSश्मवर्ष सुमहत्प्रादुरसित्समंततः I नगमात्रै शिलाखण्डैस्तन्मां दढमपीडयत II १ II
અર્જુન બોલ્યો-તે સમયે મારા પર ચારે બાજુથી પથ્થરોની મહાન વૃષ્ટિ ચાલી અને પર્વત જેવા શિલાખંડોવાળી તે
ઝડી મને અત્યંત પીડવા લાગી.પણ,તે વૃષ્ટિ પર મેં,મહેન્દ્રાસ્ત્રથી મંત્રેલાં વજ્ર જેવાં બાણોની ઝડી વરસાવી ને તે
પથ્થરોના ચૂરેચૂરા કરી નાખ્યા.આમ,તેનો નાશ થયો ત્યારે મારી સામે મહાપ્રબળ જળવર્ષા થવા લાગી,
ને જોશભેર પવન ફૂંકાવા લાગ્યો,જેના કારણે કશું જ ઓળખાતું નહોતું,
Mar 18, 2024
માગું,હરપળ તને-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-459
અધ્યાય-૧૬૯-નિવાત-કવચ સાથે યુદ્ધ
II अर्जुन उवाच II ततोSह स्तूयमानस्तु तत्र तत्र महर्षिभिः I अपस्यमुदधि भीममपांपतिमथाव्ययम् II १ II
અર્જુન બોલ્યો-પછી,સ્થળે સ્થળે મહર્ષિઓથી સ્તુતિ કરાયેલા મેં,અનંત અને ભીષણ જલનાથ જળનિધિને જોયો.
મહાવેગવાળા તે જળનિધિને જોયા પછી,મેં દાનવોથી ભરેલા તે દૈત્યનગરને પાસેથી જોયું.માતલિએ ત્યાં જ
રથને એકદમ પૃથ્વીની સપાટી પર ઉતાર્યો.ને રથઘોષથી ત્રાસ વર્તાવતો તે રથ નગર તરફ દોડવા લાગ્યો.