Apr 1, 2024
બેહોશી-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-473
અધ્યાય-૧૮૭-મત્સ્યોપાખ્યાન
II वैशंपायन उवाच II ततः स पांडवो विप्रं मार्कण्डेयमुवाच ह I कथयस्वेति चरितं मनोवैवस्वतस्य च II १ II
વૈશંપાયન બોલ્યા-પછી એ યુધિષ્ઠિર પાંડવે માર્કંડેય મુનિને કહ્યું-'તમે વૈવસ્વત મનુનું ચરિત્ર કહો'
માર્કંડેય બોલ્યા-હે રાજન,વિવસ્વાન સૂર્યને મહાપ્રતાપી ને મહર્ષિ એવો એક મનુ નામે પુત્ર હતો,તે મનુ
પોતાના બળથી,તેજથી,લક્ષ્મીથી અને તપસ્યાથી પોતાના પિતા ને પિતામહને પણ ટપી ગયો હતો.
તેણે બદરિકાશ્રમમાં ઊંચા હાથ રાખીને તથા એકપગે ઉભા રહી અતિ મહાન તપ કર્યું હતું.
વળી તેણે નીચું મસ્તક રાખીને,આંખ મીંચ્યા વિના દશ હજાર વર્ષ સુધી ઘોર તપ કર્યું હતું.
Mar 31, 2024
રાહ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-472
અધ્યાય-૧૮૬-તાક્ષર્ય અને સરસ્વતીનો સંવાદ
II मार्कण्डेय उवाच II अत्रैव च सरस्वत्या गीतं परपुरंजय I पुष्टया मुनिना वीर शृणु ताक्षर्येण धीमता II १ II
માર્કંડેય બોલ્યા-હે શત્રુનગરના વીર વિજેતા,આ સંબંધમાં બુદ્ધિમાન તાક્ષર્ય મુનિના
પૂછવાથી સરસ્વતીએ જે કહ્યું હતું તે તમે સાંભળો.
તાક્ષર્યે સરસ્વતીને પૂછ્યું-'હે ભદ્રા,આ લોકમાં પુરુષનું શું શ્રેયસ્કર છે?શું કરવાથી તે ધર્મથી ભ્રષ્ટ ન થાય?
હું કેવી રીતે અગ્નિમાં હોમ કરું?કયે સમયે પૂજન કરું?શું કરવાથી મારો ધર્મ નાશ ન પામે?
આ બધા વિશે તમે મને કહો,તે મુજબ કરીને હું શુભ લોકોમાં સંચરું (3)
Mar 30, 2024
ઉન્મતતા-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-471
અધ્યાય-૧૮૫-અત્રિની કથા
II मार्कण्डेय उवाच II भूय एव महाभाग्यं ब्राह्मणानां निबोध मे I वैन्यो नामेह राजर्षिरश्वमेधाय दीक्षितः II १ II
માર્કંડેય બોલ્યા-બ્રાહ્મણોના મહિમા વિશે હું વિશેષ કહું છું તે તમે સાંભળો.પૂર્વે આ લોકમાં વેનપુત્ર પૃથુ નામના
રાજર્ષિએ અશ્વમેઘની દીક્ષા લીધી હતી.ને અમે સાંભળ્યું છે કે અત્રિ તેમને ત્યાં ધનને માટે ગયા હતા.
આમ,તો તે ધનની ખાસ પરવા કરનારા નહોતા,કેમ કે દ્રવ્યને પરિણામે ધર્મનો નાશ થાય છે તે તેઓ જાણતા હતા,
પરંતુ જયારે તેમની પત્નીએ યજ્ઞ-આદિને વિસ્તારવા માટે તેમને વૈન્ય રાજા પાસે જવાનો આગ્રહ કર્યો (7)
Mar 29, 2024
ગીત-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-470
અધ્યાય-૧૮૪-બ્રાહ્મણનું માહાત્મ્ય
II वैशंपायन उवाच II मार्कण्डेयं महात्मनमूचुः पांडुसुतास्तदा I माहात्म्यं द्विजमुख्यानां श्रोतुमिच्छामकथ्यताम् II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,પાંડુપુત્રોએ મહાત્મા માર્કંડેયને પૂછ્યું-'અમે દ્વિજવરોના માહાત્મ્યને સાંભળવા ઇચ્છીએ છીએ તો તમે કહો' ત્યારે શાસ્ત્રોમાં નિપુણ,મહાતપસ્વી ને મહાતેજસ્વી તે માર્કંડેય બોલ્યા કે-હૈહયોના કુળનો એક પરપુરંજય નામનો રાજા મૃગયા માટે વનમાં ઘૂમતો હતો ત્યારે તેણે કાળિયારનું ચામડું ઓઢીને બેઠેલા એક મુનિને
મૃગ માનીને મારી નાખ્યા.જયારે તેને ભાન થયું ત્યારે તેને અતિ દુઃખ થયું ને હૈહયોને આ વૃતાંત કહ્યો.
Mar 28, 2024
માયાધામ-By અનિલ શુક્લ
Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-469
માર્કંડેય સમાસ્યા પર્વ
અધ્યાય-૧૮૨-વર્ષા ને શરદઋતુનું વર્ણન
II वैशंपायन उवाच II निदाघांतकरः कालः सर्वभूतसुखावहः I तत्रैव वसतां तेषां प्रावृद सममिषद्यत II १ II
વૈશંપાયન બોલ્યા-તે પાંડવો ત્યાં રહેતા હતા,ત્યારે પ્રાણીમાત્રને સુખ આપનારો તથા ઉનાળાના ઉકળાટને સમાવનારો વર્ષાકાળ આવ્યો.ત્યારે મહાગર્જના કરતાં વાદળોએ આકાશ તથા દિશાઓને છાઈ દીધાં હતાં.અને કાળાં વાદળો રાતદિવસ વરસી રહ્યાં હતાં.ધરતી પર ઘાસ ઉગી આવ્યું હતું ને તેમાં સર્પો ને જીવડાં ઘૂમતાં હતાં.