અધ્યાય-૨૫૬-દુર્યોધનનો વૈષ્ણવ યજ્ઞ
II वैशंपायन उवाच II ततस्तु शिल्पिनः सर्वे अमात्यप्रवराश्व ये I विदुरश्व महाप्राज्ञो धार्तराष्ट्रे न्यवेदयत II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,સર્વ શિલ્પીઓએ,મુખ્ય પ્રધાનોએ અને વિદુરે ધૃતરાષ્ટ્રપુત્રને નિવેદન કર્યું કે-
'હે રાજન,શ્રેષ્ઠ યજ્ઞની તૈયારી થઇ ગઈ છે ને સુવર્ણમય મહામૂલ્યવાન હળ પણ તૈયાર થઇ ગયું છે'
આ સાંભળીને દુર્યોધને તે મહાયજ્ઞ આરંભ કરવાની આજ્ઞા આપી,ને શાસ્ત્ર પ્રમાણે યજ્ઞની દીક્ષા લીધી.
ધૃતરાષ્ટ,ભીષ્મ,વિદુર,દ્રોણ,કૃપાચાર્ય,કર્ણ,શકુની,ગાંધારી -આદિ સર્વ અત્યંત આનંદ પામ્યા.









