અધ્યાય-૨૮૦-રામ-સુગ્રીવ મેળાપ ને વાલી વધ
II मार्कण्डेय उवाच II ततोविदूरे नलिनींप्रभुतकंलोत्पलां I सीताहरणदुखार्तः पंपां रामः समासदत II १ II
માર્કંડેય બોલ્યા-પછી,સીતાહરણથી દુઃખાતુર થયેલા રામ,કમળો ને ઉત્પલોથી ભરેલા પંપા સરોવરે પહોંચ્યા.
ત્યાં સ્નાન કરી તેઓ ઋષ્યમૂક પર્વત પાસે ગયા કે જ્યાં તેમણે ગિરિશિખર પર પાંચ વાનરોને બેઠેલા જોયા.
ત્યારે વાનરશ્રેષ્ઠ સુગ્રીવે,પોતાના બુદ્ધિમાન મંત્રી હનુમાનને તેમની પાસે મોકલ્યા.હનુમાનજીએ રામ-લક્ષ્મણને સુગ્રીવ
સાથે મૈત્રી કરાવી.રામે પોતાના કાર્યનું નિવેદન કર્યું ત્યારે સુગ્રીવે સીતાજીએ નાખેલું વસ્ત્ર તેમને બતાવ્યું.
એટલે શ્રીરામને સીતાના હરણની ખાત્રી થઇ.સુગ્રીવે પણ,પોતાના ભાઈ વાલી તરફથી મળેલું.પોતાનું દુઃખ કહ્યું.
કે-વાલીએ તેનો દેશનિકાલ કર્યો છે.ને પોતાની પત્નીનું હરણ કર્યું છે.









