Nov 6, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૯

અત્રિ-ઋષિએ કરેલી રામજીની સ્તુતિ અતિ સુંદર છે.
અત્રિ-ઋષિના પત્ની અનસૂયા મહાન તપસ્વીની હતાં.તેમની તપસ્યા અદભૂત હતી.
એકવાર જયારે દેશમાં દશ વર્ષ સુધી લાગલગાટ,દુકાળ પડેલો,ત્યારે નદી-નાળાં સુકાઈ ગયા,
અનાજનો દાણો તો શું,ક્યાંય લીલું પાંદડું પણ જોવા મળતું નહોતું,મનુષ્યો અને પશુ-પંખીના દુઃખનો પાર નહોતો,જીવોને જીવવાનું મુશ્કેલ બની ગયું.

Nov 4, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૮

એક દિવસ એવું બન્યું કે-જૈમિની સંધ્યાવંદન કરી તેનું જળ બહાર નાખવા આશ્રમમાંથી બહાર આવ્યા,ત્યારે તેમણે એક યુવતિને ઝાડ હેઠળ વરસાદમાં ભીંજાતી જોઈ,તેમને દયા આવી,અને તે યુવતિને કહ્યું-કે-શા સારું બહાર ભીંજાઓ છો,અંદર આશ્રમમાં આવી વિશ્રામ કરો.ત્યારે તે યુવતિએ કહ્યું કે-પુરુષોનો મને વિશ્વાસ નથી.
જૈમિની કહે છે કે-હું પૂર્વ-મીમાંસાનો આચાર્ય જૈમિની ઋષિ,ને મારો વિશ્વાસ નહિ?
મારા જેવા તપસ્વી અને જ્ઞાનીનો વિશ્વાસ નહિ કરો તો કોનો વિશ્વાસ કરશો?

Nov 3, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-14-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-14


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૭

શ્રીરામ કહે છે કે-એ ભૂમિ પર એકવાર સુંદ અને ઉપસુંદ નામના બે ભાઈઓ રહેતા હતા.તેમની તપશ્ચર્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા,ત્યારે તેમણે માગ્યું કે-“અમે કદી મરીએ નહીં,તેવું વરદાન અમને આપો” બ્રહ્મા કહે છે કે-તમારી માગણી પર કંઇક અંકુશ રાખો!  
બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ પ્રેમ અને હળી-મળીને રહે-કે એમને થયું કે-“આપણી બંનેની વચ્ચે તો કદી ઝગડો-કજીયો તો કદી થવાનો જ નથી.તેથી તેમણે માગ્યું કે-“મહારાજ,અમે બે ભાઈઓ વચ્ચે ઝગડો થાય,અને અમે બાઝીએ તો જ અમારું મરણ થાય,બાકી તે સિવાય ક્યારે ય કદી અમારું મૃત્યુ થાય નહીં તેવું વરદાન અમને આપો” બ્રહ્માએ કહ્યું –તથાસ્તુ.

Nov 2, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-13-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-13


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૬

જેની આંખોમાં વિષમતા છે,એનું મન બગડે છે.પણ જે માત્ર એક આંખથી જગતને જુએ,એટલે કે,જગતને એક જ ભાવથી જુએ,સમાન ભાવથી જુએ તેનું મન બગડતું નથી.
ભગવાન શ્રીરામે જયંતની એક જ આંખ ફોડી,તેને સજા નથી કરી પણ સમાનતાનો પાઠ ભણાવ્યો છે.મનુષ્યને પ્રભુ વારંવાર પાઠ શીખવે છે,છતાં તે સુધરતો નથી અને પછી,તેને શિક્ષા થાય છે.પાઠથી સુધરી જાય તે ખાનદાન અને પાઠથી સુધરે નહિ તે દૈત્ય.

Nov 1, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૫-અરણ્ય-કાંડ

અરણ્યકાંડ
શ્રી રામચંદ્ર,સીતાજી ને લક્ષ્મણજી ચિત્રકૂટમાં નિવાસ કરી રહ્યા છે.તેમનાં દર્શન કરવા,અને તેમની સાથે જ્ઞાન-ચર્ચા કરવા,દૂરદૂરથી ઋષિ-મુનિઓ તેમની પર્ણકુટીમાં આવે છે.જેમનું મન પ્રભુ-ભાવથી ભીનું છે,તેને તેને રામજીના ચરણમાં અને રામજીનાં દર્શનમાં સુખનો અનુભવ થાય છે, દેવો વિચારે છે કે હવે પોતાનું કામ થશે,રાવણનો સંહાર થશે,અને ભયમુક્ત થવાશે –એ વિચારથી પ્રસન્ન છે અને એશ-આરામમાં મસ્ત રહે છે.

Oct 29, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-10-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-10


Gujarati-Ramayan-Rahasya-114-ગુજરાતી-રામાયણ-રહસ્ય-114

રામરાજ્યની સ્થાપના પહેલાં બે યુદ્ધ લડાય છે.એક લંકામાં ને બીજું અયોધ્યામાં.
એક રામજી લડે છે અને બીજું ભરતજી લડે છે.રામજી નું યુદ્ધ બાહ્ય છે,ભરતજીનું યુદ્ધ આંતરિક છે.શ્રીરામ કામ-વાસના સામે લડીને વિજય મેળવે છે,ભરતજી લોભવાસના 
સામે લડી ને જીતે છે.અને આ બે જીત થયા પછી જ રામ-રાજ્ય થાય છે.
“કામ-વાસના” નું પ્રતિક,શૂર્પણખા અને રાવણ છે,
“લોભ-વાસના”નું પ્રતિક મંથરા અને કૈકેયી છે.

Oct 28, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-7-Adhyaya-9-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-7-અધ્યાય-9


Gujarati-Ramayan-Rahasya-113-ગુજરાતી-રામાયણ-રહસ્ય-113

એવું શાસ્ત્ર વચન જરૂર છે કે-પિતાની આજ્ઞા ઉચિત-અનુચિતનો વિચાર કર્યા વગર પાળવી.
પણ આના શબ્દાર્થ લેતાં પહેલા તેનો ભાવાર્થ સમજવાની જરૂર છે.આ શાસ્ત્ર વચનની પાછળ એ “અપેક્ષિત” છે કે-પિતા,અનુચિત-ઉચિતનો વિચાર કરીને જ આજ્ઞા કરશે.
અનુચિત આજ્ઞા પિતા કદી કરશે જ નહિ.(પોતાનું પિતૃત્વ સાચવીને બોલે-આજ્ઞા આપે તે જ સાચો પિતા) અનુચિતનો વિચાર કરે નહિ તો તે પિતા નથી.પુત્રના હિતનો ચારે બાજુથી વિચાર કરવાની જવાબદારી પિતાને શિરે છે.અને એ જવાબદારીનું સમજ-પૂર્વક પાલન કરી,ને પિતા આજ્ઞા કરે છે.ફાવે તેમ નહિ.તેણે પણ,શાસ્ત્ર,નીતિ,ધર્મના નિયમોને વશ થઈને ચાલવાનું હોય છે.

Oct 27, 2021

Gujarati-Ramayan-Rahasya-112-ગુજરાતી-રામાયણ-રહસ્ય-112

ભરતજીનું આ ચરિત્ર અતિ પાવનકારી છે,તુલસીદાસજી કહે છે કે-જે એનું ભક્તિ-પૂર્વક શ્રવણ-મનન કરશે,તેને અવશ્ય શ્રીસીતારામના ચરણોમાં પ્રેમ થશે,અને સંસારથી વૈરાગ્ય થશે.મહારાજા દશરથ,શ્રીરામને ગાદીએ બેસાડી રામરાજ્યની સ્થાપના કરવા માગતા હતા,પણ રામરાજ્યની સ્થાપના તેમને હાથે થઇ નથી,એ તો થાય છે ભરતજીના હાથે ચિત્રકૂટમાં.દશરથજીની રામરાજ્યનો સંકલ્પ શુભ છે,પવિત્ર છે તો યે તેમાં વિઘ્ન આવે છે.મહાન લક્ષ્ય તરફ આગળ વધતાં વિઘ્ન તો આવવાનું જ,જેટલું લક્ષ્ય મહાન એટલું વિઘ્ન મહાન.દશરથ રાજાના રામરાજ્યની સ્થાપનાના સંકલ્પમાં એવું મોટું વિઘ્ન આવ્યું કે-તેમાં દેશ,કાળ અને વ્યક્તિ પણ બદલાઈ જાય છે.