Dec 9, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-039

 

અધ્યાય-૫૪-સર્પસત્રમાં આસ્તીકનું આગમન 


II सौतिरुवाच II तत आहूय पुत्रं स्वं जरत्कारुर्भुजंगमा I वासुकेर्नागराजस्य वचनादिद मव्रतित  II १ II

નાગરાજ વાસુકિનાં વચન સાંભળીને,નાગિની જરત્કારુએ પોતાના પુત્રને બોલાવીને કહ્યું કે-,મારા ભાઈએ,મને,

તારા પિતાને  નિમિત્તે લગ્નમાં આપી હતી,તેનો વખત હવે આવી ગયો છે,તો તું યથાર્થ કર.

આસ્તીક બોલ્યો-'મામાએ શા નિમિત્તે લગ્નમાં આપી હતી તે તું  યથાવત મને કહે,પછી હું યથાયોગ્ય કરીશ.

Dec 8, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-038

અધ્યાય-૫૨-સર્પોનો હોમ


II सौतिरुवाच II ततः कर्म प्रववृत्ते सर्पसत्रविधानत: I पर्यक्रामंश्च विधिवत स्वे स्वे कर्मणि याजकाः II १ II

સૂતજી બોલ્યા-પછી,સર્પસત્રના વિધાન મુજબ,કર્મની પ્રવૃત્તિ શરુ થઇ,ને યાજક લોકો યથાવિધિ પોતપોતાના કર્મોમાં લાગી ગયા,ધુમાડાથી જેમની આંખો લાલ થઇ છે એવા,તે ઋત્વિજો,કાળા વસ્ત્રોના ઉપરણો ઓઢીને,વિધિપૂર્વક મંત્રોચ્ચાર સાથે પ્રદીપ્ત અગ્નિમાં આહુતિ ચડાવવા લાગ્યા.પછી,સઘળા સર્પોના નામ દઈને,

અગ્નિના મોંમાં હોમવા માંડ્યા ત્યારે,હીન શબ્દોથી એકબીજાને બોલાવતા,તરફડિયાં મારતા,ફેણ પ્રસારીને,

પૂંછડાં તરફથી,એકબીજાને વીંટી વળતા તે સર્પો,ભડભડતા અગ્નિમાં આવીને પડવા લાગ્યા.

Dec 7, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-037

અધ્યાય-૫૧-સર્પસત્રનો આરંભ 


II सौतिरुवाच II एवमुक्त्वा ततः श्रीमान्मंत्रिभिश्वानुमोदितः I आरुरोह प्रत्तिज्ञां स सर्पसत्राय पार्थिवः II १ II

સૂતજી બોલ્યા-એ પ્રમાણે કહ્યા પછી,મંત્રીઓથી અનુમોદન પામેલા એવા રાજાએ સર્પસત્ર માટે પ્રતિજ્ઞા કરી.

પછી,રાજાએ ઋત્વિજો અને પુરોહિતોને બોલાવીને કહ્યું કે-જે દુરાત્મા તક્ષકે મારા પિતાને મારી નાખ્યા છે,

તેનો બદલો હું કેવી રીતે લઉં? તમે એવું કોઈ કર્મ જાણો છો કે -જેથી હું તે તક્ષક અને તેનાં સગાવહાલાંને  ભડભડતા અગ્નિમાં નાખી શકું? હું તે સર્વ પાપી સર્પોને બાળી નાખવા ઈચ્છું છું.(1-6)

Dec 6, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-036

 

અધ્યાય-૫૦-જન્મેજય અને મંત્રીઓનો સંવાદ 

II मंत्रिण उचुः II ततः स राज राजेन्द्र स्कन्धे तस्य भुजङ्गमम् I मुनेः क्षुत्क्षाम आसज्य स्वपुरं प्रपयौ पुनः  II १ II

મંત્રીઓ બોલ્યા-હે રાજેન્દ્ર,ભૂખથી વ્યાકુળ થયેલા,તે રાજા,મુનિના ખભા પર સર્પ નાખીને,પોતાના નગરમાં પાછા ફર્યા,

તે ઋષિને,ગાયના ગર્ભમાંથી જન્મેલ,શૃંગી નામનો પુત્ર હતો,તેણે પોતાના મિત્ર પાસેથી સાંભળ્યું કે-

પરીક્ષિત રાજાએ તેના પિતાનું અપમાન કર્યું છે,ત્યારે,શૃંગીએ ક્રોધમાં આવી,હાથમાં પાણી લીધું,અને તમારા

પિતાને શાપ આપ્યો કે-જેણે મારા પિતા પર મરેલો શાપ નાખ્યો છે,તેને આજથી સાતમા દિવસે,

તક્ષકનાગ,કરડશે,અને તેનો જીવ લેશે.(1-16)

Dec 5, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-035

 

અધ્યાય-૪૮-આસ્તીકની ઉત્પત્તિ 

II सौतिरुवाच II गतमात्रं तु भर्त्तारं जरत्कारुरवेदयत I भ्रातुः सकाशमागत्य यथातथ्यं तपोधन II १ II

સૂતજી બોલ્યા-હે તપોધન,પોતાના પતિના ચાલ્યા ગયા પછી,તેણે ભાઈની પાસે આવીને,સમાચાર કહ્યા.

ત્યારે,ભાઈને અત્યંત ખેદ થયો ને તેણે,બહેનને કહ્યું કે-હે કલ્યાણી,તને લગ્નમાં આપવાનું કારણ તો તું જાણે જ છે,

કે તને જો પુત્ર થશે તો જ અમને તે શાપમાંથી છોડાવશે,જો કે એ પૂછવું યોગ્ય નથી,છતાં,પણ તું કહે કે,

તને પુત્રનો કોઈ યોગ છે? તારા સ્વામી તો હવે પાછા આવશે નહિ,ને જો હું તેમને મનાવવા જાઉં,તો તે કદાચ મને શાપ આપે,માટે તું મને,તારા સ્વામીની સાથે જે કોઈ વાત થઇ હોય તે તું મને કહે (1-8)

Dec 4, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-034

 

અધ્યાય-૪૬-વાસુકી અને જરાત્કારુનો સમાગમ 


II सौतिरुवाच II एतच्छ्रुत्वा जरत्कारुभृशं शोकपरायणः I उवाच तान् पित्रुन्दुःखाद्वाष्पसंदिग्धया गिरा II १ II

સૂતજી બોલ્યા-પિતૃઓની વાત સાંભળી,જરત્કારુ શોક્ગ્રસ્ત થાય,ને ગદગદિત થઇ કહેવા લાગ્યો કે-

'આપ બધા મારા પિતૃઓ છો,તો મારે આપનું પ્રિય કરવાની ઇચ્છાએ શું કરવું જોઈએ? 

હું જ આપનો અપરાધી પુત્ર જરત્કારુ છું,હું કૃતઘ્ની અને દુષ્ટકર્મી  છું,આપ મને શિક્ષા કરો (1-3)

Dec 3, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-033

 

અધ્યાય-૪૪-જન્મેજયનો રાજ્યાભિષેક 


II सौतिरुवाच II ते तथा मंत्रिणो दष्ट्वा भोगेन परिवेष्टितं I विपण्णवदनाः सर्वे रुरुदुर्भ्रुशदुःखितः II १ II

સૂતજી બોલ્યા-રાજાને,તક્ષકથી ઘેરાયેલો,જોઈને ને તેની ગર્જના સાંભળીને,મંત્રીઓ દુઃખિત થઇ રોવા લાગ્યા 

અને ભયભીંત થઇ ત્યાંથી ભાગવા લાગ્યા,ને ત્યારે રાજા,મૃત થઈને ધરતી પર ઢળી પડ્યો (1-4)

Dec 2, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-032

 

અધ્યાય-૪૩-પરીક્ષિત રાજાને તક્ષકડંશ 


II तक्षक उवाच II यदि दष्टं मयेह त्वं शक्तः किंचिच्चिकित्सितुम् I ततो वृक्षं मया दष्टमिमं जीवय काश्यप II १ II

તક્ષક બોલ્યો-હે કાશ્યપ,હું જેને કરડું છું,તેને તું નિર્વિષ કરી શકતો હોય,તો હું આ ઝાડને ડસું છું,તો તેને,

તારી જે પણ,મંત્રશક્તિ હોય તેનાથી તેને સજીવન કર. કશ્યપે કહ્યું કે-'ભલે તેમ' (1-3)

સૂતજી બોલ્યા-પછી,તક્ષક નાગ,ઝાડને ડસ્યો,ને તે ઝાડ તરત જ ભડભડીને સળગી ગયું,

ત્યારે તક્ષકે કાશ્યપને કહ્યું કે-હવે તમે આ ઝાડને,ફરીથી સજીવન કરો.(4-6)

Dec 1, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-031

 

અધ્યાય-૪૧-શૃંગીએ,પરીક્ષિત રાજાને આપેલ શાપ 


II सौतिरुवाच II एवमुक्तः स तेजस्वी शृङ्गी कोपसमन्वितः I मृतधारं गुरुं श्रुत्वा पर्यतप्यत मन्युना II १ II

સૂતજી બોલ્યા-(પોતાના મિત્ર) કૃશ દ્વારા મળેલ માહિતી મુજબ,પોતાના પિતાના ખભા પર,મૃત સર્પ મુકવાની,વાત સાંભળીને,શૃંગી અત્યંત રોષે ભરાઈને ક્રોધવાળો થયો,તેણે કૃશને,આ પ્રસંગ વિષે વધુ માહિતી માગી,ત્યારે.

કૃશે કહ્યું કે-રાજા પરીક્ષિત,શિકારની પાછળ દોડતા આવ્યા હતા,અને તેમણે મૃત સર્પ તેમના ખભા પર મુક્યો હતો.ત્યારે શૃંગીએ પૂછ્યું કે-મારા પિતાનો શો અપરાધ હતો? રાજાએ હજુ મારી તપસ્યાનું બળ જોયું નથી (1-4)

Nov 30, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-030

 

અધ્યાય-૩૮-એલાપત્ર નાગનાં વચન 


II सौतिरुवाच II सर्पाणां तु वचः श्रुत्वा सर्वेपामिति चेति च I वासुकेश्व वचः श्रुत्वा एलापत्रोSन्नविदिदम् II १ II

સુતજી બોલ્યા-સર્વ સર્પોનાં અને વાસુકિના વચન સાંભળી,એલાપત્ર (નાગે) કહ્યું કે-

તે યજ્ઞ કંઈ થાય જ નહિ,એમ કદી બનવાનું નથી,વળી,જેનાથી આપણને મોટો ભય છે તે,જન્મેજય રાજા પણ જેવોતેવો નથી.હે નાગો,આપણે દૈવથી હણાયા છીએ,એટલે દૈવનું જ શરણું લેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.

વળી,જયારે માતાએ શાપ આપ્યો ત્યારે,હું બીકથી તેના ખોળામાં બેસી ગયો હતો,

તે વખતે દેવો,દુઃખથી પીડિત થઈને બ્રહ્મા પાસે ગયા હતા,તેમનાં વચન મેં સાંભળ્યાં હતાં.

દેવોએ બ્રહ્માજીને કહ્યું-અતિશય તીખા સ્વભાવની કદ્રૂ,પોતાના પુત્રોને,તમારી સમક્ષ જ શાપ આપે,અને 

તમે 'તથાસ્તુ' કહી તેની વાતને માન્ય રાખી,પણ તમે તે વખતે તેને રોકી કેમ નહિ? (1-8)

Nov 29, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-029

 

અધ્યાય-૩૫-સર્પોના નામનું કથન 


II शौनक उवाच II भुजंगमानां शापस्य मात्रा चैव सुतेन च I विनतायास्त्वया प्रोत्त्कं कारणं सूतनन्दन  II १ II

શૌનક બોલ્યા-હે સૂતજી,સર્પોને માતા કદ્રૂએ અને પુત્ર અરુણે માતા વિનતાને જે શાપ આપ્યા તેનું કારણ તમે કહ્યું,

વળી,પતિ કાશ્યપથી કદ્રૂ અને વિનતાને વરદાન મળ્યું-તે પણ કહ્યું,વિનતાના બે પુત્રો (વરુણ ને ગરુડ)નાં નામ 

પણ તમે કહ્યાં,પણ તમે સર્પો (કદ્રૂના પુત્રો)નાં નામ કહ્યાં નથી,તેમનામાંના મુખ્ય નામો કહો.

Nov 28, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-028


 અધ્યાય-૩૩-ગરુડને અમૃતપ્રાપ્તિ 

II सौतिरुवाच II जांवुनदमयो भूत्वा मरीचिनिकरोज्ज्वलः I प्रविवेश बलात् पक्षी वारिवेग इवार्णवम् II १ II

સૂતજી બોલ્યા-પછી,સુવર્ણમય રૂપ ધારણ કરીને,કિરણોના સમૂહ જેવો ઉજ્જવળ જણાતો,

તે ગરુડ,બળપૂર્વક અમૃતસ્થાનમાં પેઠો,જાણેકે પાણીનો વેગ સાગરમાં પ્રવેશ્યો !

ત્યારે ત્યાં,અમૃતની સમીપમાં,તેણે,એક લોખંડનું સતત ઘૂમતું ચક્ર જોયું,કે જેની ધાર તીણી હતી,તે ભયંકર હતું 

અને અગ્નિ ને સૂર્યના જેવી તેની ઝલક હતી,અમૃતને હરી જનારા માટે તે ભેદી ન શકાય તેવું હતું.

ગરુડ તેની આસપાસ ભમવા લાગ્યો ને પોતાનું અંગ સંકોચીને તે ચક્રના મધ્યમાં થઇ નીચે ઉતરી ગયો.

Nov 27, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-027

 

અધ્યાય-૩૧-ગરુડની ઉત્પત્તિનાં કારણ 


II शौनक उवाच IIकोSपराधो महेन्द्रस्य कः प्रमदम्श्च सूतज I तपसा वालखिल्यानां संभूतो गरुडः कथम्  II १ II

શૌનક બોલ્યા-હે સૂતજી,ઇન્દ્રનો કયો અપરાધ હતો? કયો પ્રમાદ હતો? અને વાલખિલ્યોના તપથી ગરુડ કેવી રીતે ઉત્પન્ન થયો?વળી બ્રાહ્મણ કશ્યપને પક્ષીરાજ પુત્ર કેમ થયો? ને શા કારણથી તે પ્રાણીમાત્રથી અસહ્ય અને અવધ્ય થયો? તે સ્વેચ્છા ગતિવાળો અને સ્વેચ્છા બળવાળો શી રીતે થયો? તે હું સાંભળવા ઈચ્છું છું 

Nov 26, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-026

અધ્યાય-૨૯-મેરુ પર્વત પર ગરુડ 


II सौतिरुवाच II तस्य कण्ठमनुप्राप्तो ब्राह्मणः सह भार्यया I दहन दीप्त इवांगार स्तमुवाचान्तरिक्षगः II १ II

સૂતજી બોલ્યા-તે વખતે,એક બ્રાહ્મણ (તેની નિષાદ પત્ની સાથે) ગરુડના ગળામાં જઈ પડ્યો.

ગરુડના ગળામાં,અંગારા જેવો દાહ થયો એટલે,ગરુડે તે બ્રાહ્મણને કહ્યું કે-તું મારા આ ઉઘાડેલા મોંમાંથી,

જલ્દી બહાર નીકળી જા,કેમ કે (મા એ કહ્યું છે) બ્રાહ્મણ પાપી હોય તો પણ તેને મરાય નહિ.

બ્રાહ્મણે કહ્યું કે-આ મારી નિષાદ જાતિની પત્ની પણ મારી સાથે બહાર નીકળો.

ગરુડે કહ્યું કે -ભલે,તેને પણ તું સાથે લઇ જા.અને વેળાસર,તું તારી જાતને અને તેને ઉગારી લે (1-4)

Nov 25, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-025

 

અધ્યાય-૨૫-કદ્રૂએ કરેલી ઇન્દ્રની સ્તુતિ 


II सौतिरुवाच II ततः कामगमः पक्षी महावीर्यौ महाबलः I मातुरंतिकभागच्छत् परं पारं महोदधेः II १ II

સૂતજી બોલ્યા-પછી,ઈચ્છા પ્રમાણે ગતિ કરવાવાળો,તે મહાવીર્યવાન અને મહાબળવાન,ગરુડ,

મહાસાગરને પેલે પાર માતા પાસે જઈ પહોંચ્યો.કે જ્યાં,શરતમાં પરાજય પામેલી અને દાસીપણું કરી રહેલી,

તેની માતા વિનતા,અત્યંત દુઃખ અને સંતાપ પામી રહી હતી.