દેવોના સુથાર,એ વિશ્વકર્માએ અણમોલ શિલ્પો ને દિવ્ય વિમાનો બનાવ્યા હતા,
એ મહાત્માની શિલ્પકળાથી આજે પણ મનુષ્યો પોતાની આજીવિકા ચલાવે છે,ને તેમને પૂજે છે (28-31)
દેવોના સુથાર,એ વિશ્વકર્માએ અણમોલ શિલ્પો ને દિવ્ય વિમાનો બનાવ્યા હતા,
એ મહાત્માની શિલ્પકળાથી આજે પણ મનુષ્યો પોતાની આજીવિકા ચલાવે છે,ને તેમને પૂજે છે (28-31)
II वैशंपायन उवाच II ब्रह्मणो मानसाः पुत्रा विदिताः पणंहर्षयः I एकादशः सुताः स्थाणोः ख्याताः परंतेजसः II १ II
વૈશંપાયન બોલ્યા-પ્રસિદ્ધ છ મહર્ષિઓ બ્રહ્માના માનસપુત્રો હતા(મરીચિ,અત્રિ,અંગિરા,પુલસ્ત્ય,પુલહ,અને ક્રતુ)
સાતમા સ્થાણુ નામના પુત્રને અગિયાર પુત્રો થયા હતા.તે,મૃગવ્યાધ,સર્પ,નિઋતિ,
અજૈકપાટ,અહિર્બુધ્ન્ય,પિનાકી,દહન,ઈશ્વર,કપાલી,સ્થાણુ ને ભગ-એ અગિયાર 'રુદ્રો' તરીકે પ્રખ્યાત છે.
II वैशंपायन उवाच II अथ नारायणेनेन्द्रेश्चकार सः संविदम् I अवतर्तु महि स्वर्गादंशतः सहितः सुरैः II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,ઇન્દ્રે,દેવતાઓ સાથે,સ્વર્ગમાંથી પૃથ્વી પર,અવતરવાનો,નારાયણ સાથે ઠરાવ કર્યો.
અને સર્વ દેવોને તે પ્રમાણે આજ્ઞા આપી,સર્વે નારાયણના નિવાસથી પાછા ફર્યા.
ત્યારે બાદ,દુશ્મનો (દૈત્યો)ના વિનાશ માટે અને લોકકલ્યાણ માટે દેવો,ક્રમેક્રમે પૃથ્વી પર અવતર્યા.
અને દાનવો,રાક્ષસો,ગંધર્વો,સર્પો અને અનેક માણસ-ખાઉ પ્રાણીઓને મારી નાખ્યા.(1-5)
II जनमेजय उवाच II य एते कीर्तिता ब्रह्मनयेचान्ये नानुकीर्तिताःIसम्यक्तान श्रोतुमिच्छामि राज्ञश्वान्यानसहस्त्रशः II १ II
જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,જે રાજાઓ વિશે તમે કહ્યું છે અને જેને વિશે તમે કહ્યું નથી તેવા,તે હજારો વિશે,
હું સારી રીતે સાંભળવા ઈચ્છું છું,તે દેવતુલ્ય,મહારથીઓએ શા અર્થે જન્મ ધર્યા હતા? (1-2)
જન્મતાં જ તે માતાની આજ્ઞા લઈને,ત્યાંથી ચાલ્યા અને બોલ્યા-'મારુ કોઈ કામ હશે તો સ્મરણ કરજે તો,
હું તરત જ હાજર થઈશ' બાળક તરીકે તે દ્વીપમાં જન્મ્યા એટલે તે 'દ્વૈપાયન' નામ પામ્યા.
તેમણે,વેદો અને બ્રાહ્મણો પર કૃપા,કરવાની ઇચ્છાએ,વેદોનો વ્યાસ (શાખા-વિભાગ) કર્યો,તેથી તે
'વ્યાસજી' પણ કહેવાયા.તે મહાસમર્થે સુમંતુ,જૈમિની,પૈલ,પોતાના પુત્ર શુકદેવ અને વૈશંપાયનને,-
આ મહાભારત સાથે પાંચેય વેદો ભણાવ્યા.તેમણે અલગઅલગ મહાભારતની સંહિતાઓ રચી છે.(70-90)
તેમની રાજધાની પાસે વહેતી,'શક્તિમતી'નદીને ચેતનાયુક્ત 'કોલાહલ' પર્વતે,કામયુક્ત થઈને રોકી લીધી હતી,
વસુએ તે કોલાહલ પર્વતને લાત મારી,પ્રહારથી થયેલ બખોલમાંથી તે નદી બહાર નીકળી પડી,
નદીએ તે પર્વતથી એક જોડકું પેદા કર્યું હતું.પોતાના છુટકારાથી પ્રસન્ન થયેલી તે નદીએ,પોતે જ
તે જુગલ રાજાને અર્પણ કર્યું.એમાં જે પુરુષ (અરિનાશન) હતો તેને રાજાએ પોતાનો સેનાપતિ બનાવ્યો
અને કન્યા (ગિરિકા)ને રાજાએ પોતાની પત્ની કરી.
II वैशंपायन उवाच II राजोपरिचरो नाम धर्मनित्यो महीपतिः I वभूव मृगयां गंतु सदा किल धृतव्रतः II १ II
વૈશંપાયન બોલ્યા-રાજા ઉપરિચર નામે એક ધર્મશીલ રાજા હતો,તે સદા મૃગયાનો વ્રતધારી હતો,
પુરુવંશને આનંદ આપનારા તે વસુ રાજાએ,ઇન્દ્રના ઉપદેશથી ચેદિ નામના રમણીય પ્રદેશ પર અધિકાર
મેળવ્યો હતો.એક સમયે.શસ્ત્રો મૂકી દઈને તે તપસ્વી થઈને આશ્રમમાં રહેતો હતો,ત્યારે દેવોએ વિચાર્યું કે-
;આ તપસ્વી રાજા તપથી ઇન્દ્રપદને યોગ્ય થશે' એટલે તે રાજા પાસે આવ્યા અને તેને સમજાવટથી
તપમાંથી નિવૃત્તિ કરવાનું સમજાવવા લાગ્યા.(1-4)
II जनमेजय उवाच II कथितं वै समासेन त्वया सर्व द्विजोत्तम I महाभारतमाख्यानं कुरुणा चरितं महत् II १ II
જન્મેજય બોલ્યા-હે દ્વિજશ્રેષ્ઠ,તમે કુરુવંશીઓના ચરિત્ર વિશેનું મહાભારત આખ્યાન સંક્ષેપમાં કહ્યું,
પણ તેને વિસ્તારથી સાંભળવાનું કુતુહલ થયું છે,તો તમે ફરીથી વિસ્તારથી તે કથા કહો.
પૂર્વજોનાં મહાન ચરિત્ર સાંભળતાં હું ધરાતો નથી,ધર્મજ્ઞ એવા પાંડવોએ,વધને યોગ્ય નહિ એવા,
અનેકને હણી નાખ્યા,છતાં લોકો તેમની પ્રશંસા કરે છે,તો તેનું કારણ કંઈ નાનુસુનું નહિ જ હોય.
II वैशंपायन उवाच II गुरवे प्राङ्ग नमस्कृत्य मनोबुध्धिसमाधिभिः I संपूज्यश्व द्विजांसर्वास्तथान्यानधिदुपोजनान II १ II
વૈશંપાયન બોલ્યા-પ્રથમ મન,બુદ્ધિ અને એકચિત્તતાથી જીરૂશ્રીને નમસ્કાર કરું છું,પછી સર્વ બ્રાહ્મણો તથા અન્ય વિદ્વાનોને વંદન કરું છું.અને સર્વ લોકમાં વિખ્યાત,મહાત્મા વ્યાસજીનો સંપૂર્ણ મત કહું છું.હે રાજા,આ મહાભારતની કથા સાંભળવા સુયોગ્ય છો,ગુરુની આજ્ઞા,જાણે મારા મનને ઉત્સાહ આપી રહી છે,
હે રાજન,કૌરવો અને પાંડવો વચ્ચે ભેદ કેમ પડ્યો,રાજ્યના નિમિત્તે જુગટું કેમ મંડાણું,પાંડવોને વનવાસ
મળ્યો ને મનુષ્યોનો ઘાણ કાઢી નાખનારૂ યુદ્ધ થયું,એ બધું હવે હું તમને કહીશ.(1-5)
અધ્યાય-૬૦-મહાભારતની કથાનો આરંભ
II सौतिरुवाच II श्रुत्वा तु सर्पसत्राय दीक्षितं जनमेजय I अभ्यग्च्छदपिविद्वान कृष्णद्वैपायनस्तदा II १ II
સૂતજી બોલ્યા-જન્મેજયે,સર્પસત્રની દીક્ષા લીધી છે,એ સાંભળીને,વિદ્વાન ઋષિ કૃષ્ણદ્વૈપાયન (વ્યાસજી) ત્યાં પધાર્યા,તેમને કાલી (મત્સ્યગંધા) નામની કન્યાએ,યમુના દ્વીપમાં શક્તિના પુત્ર પરાશરથી જન્મ આપ્યો હતો,
તે પાંડવોના પિતામહ હતા,ને જન્મતા ની સાથે જ પોતાના દેહને યથેચ્છ રીતે વિકસાવ્યો હતો.
તે મહાયશસ્વીએ વેદાંગો અને ઇતિહાસો સાથે વેદનું અધ્યયન કર્યું હતું,
તપમાં,વેદોંધ્યયનમાં,વ્રતોમાં,ઉપવાસોમાં,ને યજ્ઞમાં તેમને ચડી જઈ શકતું નથી.
અંશાવતરણ પર્વ
II शौनक उवाच II भृगुवंशात प्रभृत्येय् त्वया मे कीर्तितं महत् I आख्यानमखिलं रात सौते प्रीतोSस्मि तेन ते II १ II
શૌનક બોલ્યા-હે સૂતજી,તમે મને ભ્રગુવંશથી માંડીને જે મહાન આખ્યાન સંપૂર્ણ રીતે સંભળાવ્યું,તેથી
હું પ્રસન્ન થયો છું,હું તમને ફરીથી વિનવું છું કે-તમે વ્યાસજીએ નિર્મેલી સર્વ કથાઓ મને યથાવત કહો.
તે પરમ દુષ્કર સર્પયત્રમાં,યજ્ઞકર્મના અવક્ષના સમયમાં,સભાસદોમાં,જે જે વિષયો પર આશ્ચર્યકારક
કથાઓ થઇ હોય,તે સર્વ હું સાંભળવા ઈચ્છું છું,તો તે યથાર્થ રીતે કહો (1-4)
સૂતજી બોલ્યા-કર્મના વચગાળામાં બ્રાહ્મણો વેદના આશ્રયવાળી કથાઓ કહેતા હતા,
ત્યારે વ્યાસજી તો,મહાભારતની આશ્ચર્યકારક આખ્યાનનું કીર્તન કરતા હતા.(5)
શૌનક બોલ્યા-જન્મેજયના પૂછવાથી,તે વ્યાસજીએ,પાંડવોનો જશ વધારનારૂ મહાભારતનું
જે આખ્યાન -વિધિપૂર્વક સંભળાવ્યું હતું,તે પુણ્યકથાને હું યથાવિધિ સાંભળવા ઈચ્છું છું.
તે મહર્ષિના મનરૂપી મહાસાગરમાંથી ઉત્પન્ન થયેલી એ સર્વ રાતનભરી કથા મને કહો.(6-8)
સૂતજી બોલ્યા-વ્યાસજીને માન્ય એવું,તે મહાભારતનું મહાન અને ઉત્તમ આખ્યાન,હું તમને મૂળથી
માંડીને કહીશ,હે શૌનકજી,તમે તે સાંભળો,તે કહેતાં,મને પણ અત્યંત આનંદ ઉભરે છે.(9-10)
અધ્યાય-60-સમાપ્ત
II सौतिरुवाच II इदमत्यद्भुतं चान्यदास्तिकस्यानुशुश्रुम I तथा वरैश्छन्दमाने राजा पारिक्षित्तेन हि II १ II
સૂતજી બોલ્યા-રાજા જન્મેજયે,આસ્તીકને વરદાનથી પ્રસન્ન કર્યો,ત્યારે આસ્તીકના વિશે,એક બીજું આશ્ચર્ય અમે
સાંભળ્યું છે,ઇન્દ્ર પાસેથી છૂટો પડેલો તક્ષક નાગ,જયારે,આકાશમાં જ રહ્યો ને અગ્નિમાં પડયો નહિ,ત્યારે,
જન્મેજય રાજાને ચિંતા થઇ કે-તક્ષકની આહુતિ અપાઈ છે તો તે અગ્નિમાં કેમ પડ્યો નથી?
II शौनक उवाच II ते सर्पा:सर्पसत्रेSस्मिन् पतिता हव्यवाहने I तेषां नामानि सर्वेषां श्रौतुमिच्छामि सूतज II १ II
શૌનક બોલ્યા-હે સૂતજી,તે સર્પસત્રમાં જે સર્પો અગ્નિમાં પડ્યા હતા તે સર્વેનાં નામ હું સાંભળવા ઈચ્છું છું.
સૂતજી બોલ્યા-તે સર્પયત્રમાં,હજારો,લાખો અને દશ દશ કોટી સર્પો હોમાઈ ગયા હતા,તે ઘણા હોવાથી તેમની
સંખ્યા ગણી શકાય તેમ નથી,તો પણ અગ્નિમાં જે મુખ્ય મુખ્ય સર્પો હોમાયા હતા,તેમનાં નામ સાંભળો.
વાસુકિના કુળમાં જન્મેલા અને માતાના શાપથી પરતંત્ર થયેલા,દિન એવા સર્પોના નામ પ્રથમ કહું છું.(2-5)
II जनमेजय उवाच II वालोSप्ययं स्थविर इवावमापते नायं वालः स्थविरोSमतो मे I
इच्छाम्यहं वरमस्मै प्रदातुं तन्मे विप्राः संविदध्वं यथावत II १ II
જન્મેજય બોલ્યા-હે વિપ્રો,બાળક હોવા છતાં,આ તો વૃદ્ધની જેમ બોલે છે,મારા અભિપ્રાય મુજબ
તે વૃદ્ધ જ છે.હું તેને વરદાન આપવા માગું છું,તમે વિચાર કરીને કહો.
સભાસદો બોલ્યા-બ્રાહ્મણ,બાળક હોય તો પણ તેનું સન્માન કરવું જોઈએ,વળી તે વિદ્વાન હોય તો
તેને વિશેષ સન્માન ઘટે છે,તેથી તમારા તરફથી તેની સર્વ કામનાઓ પુરી થવા યોગ્ય જ છે.
પણ,તે પહેલાં,આપણે એવું કરો કે જેથી તક્ષક,ઝટ આવી પડે.(1-2)
II आस्तिक उवाच II सोमस्य यज्ञो वरुणस्य यज्ञः प्रजापतेर्यज्ञ आसीत् प्रयागे I
तथा यज्ञोSयं तव भारतग्र्य पारिक्षित स्वस्ति नोSस्तु प्रियेभ्य II १ II
આસ્તીક બોલ્યો-હે પરીક્ષિત પુત્ર,જન્મેજય,જેવો સોમનો યજ્ઞ થયો હતો,જેવો વરુણનો યજ્ઞ થયો હતો,
અને જેવો પ્રયાગમાં પ્રજાપતિનો યજ્ઞ થયો હતો,તેવો તારો આ યજ્ઞ છે.તો,અમારા પ્રિયજનોનું કલ્યાણ થાઓ,
હે જન્મેજય,ઇન્દ્રે સો યજ્ઞો કાર્ય હતા,પણ તારો આ યજ્ઞ એવા દશ હજાર યજ્ઞોની બરાબર આવે છે.
તો,અમારા પ્રિયજનોનું કલ્યાણ થાઓ.